રાજકોટમાંથી આરટીઇ હેઠળ પ્રવેશ માટે ૨૦,૦૦૦ વિધાર્થીઓ દાવેદાર

  • April 11, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડ ૧૫ મી એપ્રિલ જાહેર કરવામાં આવશે. રાઇટ ટુ એયુકેશન ઈટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં ધોરણ ૧ થી પ્રવેશ આપવામાં આવે છે આ અંતર્ગત રાજકોટમાં ધોરણ એક માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરાયા હતા. જેમાં પ્રથમ યાદી ૧૫ મી એપ્રિલે સોમવારે જાહેર કરવામાં આવશે તેવું ડી ઇ ઓ એ જણાવ્યું હતું.

રાજકોટમાંથી આ વર્ષે રાઇટ ટુ એયુકેશન એકટ હેઠળ ૧૨,૬૯૩ વિધાર્થીઓએ અરજી કરી હતી તેમાંથી ૧૦,૪૫૧ અરજીઓ મંજુર થઈ હતી. યારે ૧૬૫૯ અરજી રદ થઈ હતી યારે રાજકોટ ગ્રામ્ય માંથી ૮૫૩૫ વિધાર્થીઓ માટે અરજી કરવામાં આવી છે જેમાંથી ૯૬૫ અરજી રિઝલ્ટ અને ૧૮૬૭ અરજી રદ કરવામાં આવી છે જાણવા માટે વિગત અનુસાર આ વર્ષે રાજકોટ જિલ્લામાં રાઇટ ટુ એયુકેશન એકટ હેઠળ જેટલી બેઠકો છે તેમાંથી સાત ગણા ફોર્મ વધુ ભરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૯૫૦ થી વધુ ખાનગી શાળામાં રાઇટ ટુ એયુકેશન એકટ હેઠળ બાળકોને નિશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે પરંતુ આ વર્ષે સાત ગણા ફોર્મ વધારે ભરાયા હોવાથી એયુકેશન પ્રવેશ મેળવવા માટે હરીફાઈ જામસે.
પ્રથમ રાઉન્ડ ૧૫ એપ્રિલના સોમવારે જાહેર કરવામાં આવનાર છે ત્યારે જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળશે ત્યારે તેમને તત્રં દ્રારા એસએમએસ દ્રારા જાણ કરવામાં આવશે અને પાંચ દિવસમાં જે સ્કૂલ ફાળવવામાં આવી છે ત્યાંથી એડમિશન પ્રક્રિયા માટે હાજર રહેવા તંત્રએ આદેશ આપ્યો છે .જો પાંચ કે તેથી વધુ દિવસ સુધી વિધાર્થીઓનો પ્રવેશ નહીં લેવામાં આવે તો એડમિશન રદ કરી દેવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application