નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિતે શિહોર ખાતે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઇ

  • August 08, 2023 12:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે કન્યા વિધાલય વળાવડ શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અન્વયે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.


જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા કન્યા વિધાલય વળાવડ, શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ જેમાં જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી મહેતા, દ્રારા મહિલાઓને કાયદાકીય અંગે સમજ આપવામાં આવેલ તેમજ કન્યા વિધાલયના આચાર્ય અમીનભાઈ ચૌહાણ દ્રારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતું.  


મહિલા બાળ અધિકારી, દ્રારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી તેમજ આઈ.સી.ડી.એસ. શિહોર કચેરીના સી.ડી.પી.ઓ., દ્રારા કિશોરીઓને પુર્ણા યોજના અંગે માહિતી આપેલ, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર, તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેનની ટીમ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application