ભગવતીપરા અને સરધારની સગીરા ગુમ: પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

  • January 25, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભગવતીપરાની તરુણી કેટરિંગકામ માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી: સરધારની કિશોરી સ્કૂલે જવાનું કહી લાપતા




શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની તણી અને સરધારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ઘરેથી અલગ અલગ બહાને નિકળ્યા બાદ લાપતા બનતા પોલીસે આ મામલે અપહરણનો ગુના નોંધી બંને સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.




જાણવા મળતી વિગતો મુજબ,ભગવતીપારમાં રહેતા મહિલાએ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા હતું કે,તેમની ૧૩ વર્ષની દિકરી તા.૧૮૧ ના કેટરીંગ કામ પર જવાનું કહી નીકળ્યા બાદ પરત ફરી ન હતી.બાદમાં આ બાબતે તણીની બહેનપણીને પુછતા તેણે કહ્યું હતું કે તે કેટરીંગ કામ માટે આવી ન હતી તેણે મને ખોટું બોલવા કહ્યું કે તે કેટરીંગકામમાં મારી સાથે છે.તેણી મોરબીના લીલાપરમાં આવાસમાં રહેતા અફતાબ સમા સાથે ફોનમાં વાતચીત કરતી હતી.જેથી શંકા જતા આફતાબના ઘરે જઇ તપાસ કરતા તે પણ લાપતા હોય તે તણીને ભગાડી ગયાની શંકા સાથે આ ફરિયાદ નોંધાવી છે.પોલીસે અપહરણનો ગુનો નોંધી બંનેના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.





જયારે સરધારમાં વાડીમાં રહેતા અને ખેતમજુરીનુ કામ કરનાર આઘેડે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમની ૧૬ વર્ષની પુત્રી જે ધો.૮ માં અભ્યાસ કરે છે તે ગત તા.૨૩૧ ના રોજ સ્કૂલે જવાનું કહી નીકળ્યા બાદ પરત ન ફરતા પ્રથમ ખાનગી રાહે શોધખોળ કર્યા બાદ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application