૨૦ જુલાઇ ના રોજ વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન વેરાવળને બદલે અમદાવાદથી દોડશે

  • July 20, 2023 12:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે વેરાવળ યાર્ડમાં પાણી ભરાયા છે અને અનેક જગ્યાએ પાટા પરથી પાણી વહી રહ્યા છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદે માહિતી આપી હતી કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ 20મી જુલાઈ, 2023ની વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ વેરાવળને બદલે અમદાવાદ સ્ટેશનથી ચલાવવાનો નિર્ણય લીધો છે. 


આમ આ ટ્રેન વેરાવળ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ મુસાફરો ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application