બેડેશ્ર્વર પ્રોવિઝન સ્ટોર્સમાં આગ ભભૂકી

  • March 19, 2023 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં ગત મધરાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડની ટુકડી દોડી ગઇ હતી અને આગને ઠારી હતી, આગના કારણે સરસામાન સળગી જતા લાખોનું નુકશાન થયુ હતું.


બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ સદગુરૂ પ્રોવિઝન સ્ટોર નામની અનાજ કરીયાણાની દુકાનમાં ગત રાત્રીના ૨.૫૩ કલાકે આગ લાગી હતી, શોટ સરકીટના કારણે આગ લાગ્યાનું બહાર આવ્યુ હતું, બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને બે ગાડી પાણીનો મારો ચલાવી આગને ઠારી હતી. આગના કારણે દુકાનમાં રહેલો સામાન સળગી જતા અંદાજે ચારેક લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application