BREAKING NEWS

જામનગરમાં રામદૂત હનુમાનના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી

  • April 03, 2026 02:03 PM 

જામનગરમાં રામદૂત હનુમાનના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી 

છોટી કાશી જામનગરમાં મારૂતિનંદનના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી થઈ હતી.શહેરમાં અનેક ઐતિહાસિક હનુમાનજી મંદિરો આવેલા છે તમામ મંદિરોમાં રામદૂતના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.બાલા હનુમાનજી મંદિરે મહાઆરતીમાં નવનિયુક્ત જિલ્લા સમાહર્તા પરિમલ પંડયા સજોડે જોડાયા હતા.દાંડીયા હનુમાનજી મંદિર, સૂર્યમુખી હનુમાનજી મંદિર ફુલીયા હનુમાનજી મંદિર,ચોબરીયા હનુમાનજી મંદિર,ચૈતન્ય હનુમાનજી મંદિર, લીંબડીયા હનુમાનજી મંદિર, કરોડપતિ હનુમાનજી મંદિર, પુરાતન હનુમાનજી મંદિર, પીપળીયા હનુમાનજી મંદિર, પંચમુખી મંદિર, રોકડીયા હનુમાન મંદિર, હઠીલા હનુમાનજી મંદિર, રામદૂત હનુમાનજી મંદિર, વિર વિજય હનુમાનજી મંદિર, પાતાળીયા હનુમાનજી મંદિર સહિતના મંદિરોમાં અન્નકૂટ, ધ્વજારોહણ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા પાઠ, મહાપ્રસાદ,બટુક ભોજન સહિતના કાર્યક્રમો મોડીરાત સુધી યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application