પાસપોર્ટની રીન્યુઅલ ફીમાં આગામી જુલાઈથી વધારો આવી રહ્યો છે અને તેની સાથે સાથે આનુસંગિક સેવાઓ જેમ કે પાસપોર્ટ ખોવાય કે નુકસાન થાય તો પણ ડબલ ચાર્જ ભરવો પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે વિદેશ મુસાફરી માટે પાસપોર્ટ કેટલો મહત્વપૂર્ણ છે.
આજકાલ, લગભગ દરેક બીજા વ્યકિત પાસે પાસપોર્ટ છે. ભારતીય નાગરિકો માટે તેને પહેલા એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ તરીકે જોવામાં આવતું હતું. જોકે, વિદેશ મંત્રાલયએ તાજેતરમાં સ્પષ્ટ્રતા કરી છે કે પાસપોર્ટને સરકારી ઓળખ કાર્ડ ગણવામાં આવતું નથી. ૧ જુલાઈથી પાસપોર્ટ મેળવવા અને રિન્યુ કરવા માટેની ફીમાં ફેરફાર થઈ રહ્યો છે અને તે વધારીને ૨૫૦૦ કરવામાં આવી રહી છે અને સાથે પાસપોર્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે નુકસાન થાય તો તેનો ચાર્જ પણ વધારીને ડબલ કરવામાં આવ્યો છે. નોંધવું યોગ્ય છે કે પાસપોર્ટ વિદેશ મુસાફરી માટે સૌથી આવશ્યક દસ્તાવેજોમાંનો એક છે. તેને ગુમાવવાથી કે નુકસાન થવાથી માત્ર મુસાફરી યોજનાઓ પર જ અસર પડી શકે છે, પરંતુ નવો પાસપોર્ટ મેળવવાની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેથી, જેમની પાસે પાસપોર્ટ છે તેઓએ તેમની ખૂબ કાળજી લેવી જરી બની જશે.પાસપોર્ટ ખોવાઈ જાય તો ૫૦૦૦ ફી
નવા દરો સાથે, જો તમારો પાસપોર્ટ કોઈપણ કારણોસર ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય અને તમારે નવો પાસપોર્ટ મેળવવાની જર હોય, તો તમારે નવા દરો અનુસાર ફી ચૂકવવી પડશે. નવા ફી માળખા મુજબ, જો ૩૬ પાનાનો સામાન્ય પાસપોર્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય, તો ૫,૦૦૦ ફી વસૂલવામાં આવશે. પહેલાં, આ ફી છ૩,૦૦૦ હતી, જે ૨,૦૦૦ નો વધારો દર્શાવે છે.જો ૬૦ પાનાનો પાસપોર્ટ ખોવાઈ જાય અથવા નુકસાન થાય, તો ફી પણ વધારવામાં આવશે.