Delhi Kanjhawala Accident : પરિવારનો ચોકાવનારો દાવો, અંજલિને 40 કિલોમીટર સુધી ઢસડીએ પ્લાનિંગથી કરાયેલ મર્ડર !

  • January 04, 2023 07:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના કાંઝાવાલામાં બનેલી હૃદયદ્રાવક ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતક અંજલિના પરિવારજનોએ તેના મૃત્યુ અંગે મોટો દાવો કર્યો છે. સંબંધીઓનું કહેવું છે કે અંજલિનું મગજ મળ્યું નથી. પરિવારનું કહેવું છે કે અંજલિની હત્યા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને સંબંધીઓએ કહ્યું કે અંજલિએ દારૂ પીધો નહોતો.
​​​​​​​

આજરોજ પ્રથમ વાર અંજલિનો પરિવાર મીડિયાની સામે આવ્યો અને આ મામલે મોટો દાવો કર્યો. પરિવારજનોના જણાવ્યા અનુસાર અંજલિની હત્યા કાવતરા હેઠળ કરવામાં આવી હતી. અંજલિને જાણી જોઈને ગાડી નીચે ખેંચીને મારી નાખવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને સંબંધીઓએ કહ્યું કે તેના શરીર પર ઈજાના 40 નિશાન જોવા મળ્યા છે.

સંબંધીઓએ કહ્યું કે નિધિના તમામ આરોપ ખોટા છે. અંજલિએ દારૂ પીધો ન હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને અંજલિના પરિવારના નજીકના સંબંધી ભૂપેન્દ્ર ચૌરસિયાએ કહ્યું કે તેમાં ખોરાકના કણો હોવાનું કહેવાય છે. મતલબ કે ક્યાંય દારૂ ન હતો. તેમણે વધુમાં કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર અંજલિનું મગજ ગાયબ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application