જામનગર તાજેતરમાં જામનગર લાખાબાવળ ખાતે આવેલ ૭ સિઝન રિસોર્ટ ખાતે જામનગરના માં મિડીયા હાઉસ જેપીટીપી પ્રોડક્શન દ્વારા જામનગરમાં વિશેષ સેવા આપનાર શહેરના માહાનુભાઓનું ‘રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર-૨૦૨૩’ એવોર્ડથી મુંબઈના ફિલ્મી એકટરો તેમજ શહેરની પ્રતિષ્ઠ વ્યકિતની ઉપસ્થિતિમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ સમારંભમાં જામનગરમાં ૩૫ વર્ષ શૈક્ષણીક શ્રેત્ર સેવા આપનાર બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંચાલક અને સમાજસેવી અશોકભાઈ ભટ્ટ તેમજ ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા ગત કોરોના માહામારી દરમિયાન જામનગરમાં જે બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા હતા એવા જામનગરના બાળકો શિક્ષણથી વંચીત ના રહે તેવા શુભ હેતુસર એવા ૨૦૦ બાળકોને નર્સરીથી લઈને ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરાવવાની સંપુર્ણ ખર્ચ સાથેની જવાબદારી સંભાળી હતી.
આવા સમાજ સેવાના કાર્ય કરવા બદલ જામનગરની બ્રિલીયન્ટ સ્કૂલના સંચાલક અને સમાજસેવી અશોકભાઈ ભટ્ટ તેમજ ઉસ્મિતાબેન ભટ્ટની આ ઉમદા કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર ૨૦૨૩ એવોર્ડથી મુંબઈના ફિલ્મી એકટરોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા તાલીઓની ગટગડાટથી વધાવ્યા હતા.
સ્કૂલના સંચાલક અશોકભાઈ ભટ્ટની આ વિશેષ સેવા બદલ તેઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા ત્યારે તેમના વિશાળ મિત્રો વર્તુળોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાની વર્ષા થઇ રહી હતી, આ એવોર્ડ સમારંભ નિમીતે મોટી સંખ્યામાં મહાનુભાવો-શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ સમગ્ર એવોર્ડ સમારોહનું સફળ સંચાલન જાણીતા એન્કર બિમલ ઓઝાએ કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech