કોઇ કારણસર મોતની છલાંગ લગાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ
જામનગરના મોહનનગર આવાસ વિસ્તારમાં એક પુરૂષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી, મૃતકની ઓળખ મેળવવા અને કેવી રીતે બનાવ બન્યો એ દીશામાં તપાસની કાર્યવાહી લંબાવવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નજીકમાં જ રહેતો હોય અને મામાના ઘરે આવ્યો હતો અને ત્યાં ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. આ પ્રકારની વિગતો સામે આવતા સીટી-એ પોલીસ દ્વારા વધુ વિગતો મેળવવા પુછપરછ ચલાવવામાં આવી રહી છે.