મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકોના મોતના અહેવાલ છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારના લગભગ 50 ઘર આગની ચપેટમાં આવી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળે છે. હાલ 20થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના વાહનો પણ હરદા જવા રવાના થયા છે.
મળતી માહિતી મુજબ, મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં સવારે વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. માહિતી મળ્યા બાદ વહીવટી કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા હરદા જવાનો નિર્દેશ આપ્યો છે. ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો, ભોપાલમાં એઈમ્સ અને બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સિવાય ઈન્દોર અને ભોપાલથી ફાયર બ્રિગેડના વાહનો મોકલવામાં આવી રહ્યા છે અને રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
હરદા ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈને નર્મદાપુરમથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હરદા મોકલવામાં આવી રહી છે. નર્મદાપુરમથી પણ સ્ટાફ હરદા જવા રવાના થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, નર્મદાપુરમથી 6 ફાયર બ્રિગેડ અને 4 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને સ્ટાફ સાથે હરદા માટે રવાના થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech