તા.૨૦-૪-૨૬ સોમવાર અક્ષય તૃતીયાંશને અનુલક્ષીને બેટ દ્વારકાધીશ મંદિરના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે ૭.૩૦ મંગલા આરતી, ૮ થી ૯ પુજા અભિષેક (દર્શન બંધ) સવારે ૯ થી ૯.૪૫ શ્રૃંગાર દર્શન, સવારના અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.
સવારે ૧૧ થી ૧૨.૩૦ ચંદનવાઘા, શ્રૃંગાર બંધ પડદે (દર્શન બંધ) બપોરે ૧૨.૩૦ અક્ષય તૃતીયા ઉત્સવ આરતી, બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ ચંદનવાઘા દર્શન બપોરે ૧.૩૦ વાગ્યે ઠાકોરજીને મીઠાજળ અને અનોસર (દર્શન બંધ) ઉત્પાદન સાંજના ૫ વાગ્યાથી અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ જ રહેશે. તેમ બેટ દેવસ્થાન સમિતિ ઇન્ચાર્જ વ્યવસ્થાપકની યાદીમાં જણાવ્યું છે.