જામનગર શહેરમાં રસ્તા ઉપર રાતવાસો કરતાં ભિક્ષુકોને રૈન બસેરામાં ખસેડાયા

  • March 27, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં મુખ્ય સ્થળો ઉપર રાતવાસો કરતાં કેટલાંક ભિક્ષુકો આજુ-બાજુ વિસ્તારમાં ગંદકી કરતાં હોય એવી ફરિયાદો મળતાં મેયર બીનાબેન કોઠારીએ કેટલાંક સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને આવા ભિક્ષુકોને ખસેડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.


જાણવા મળતી માહિતી મુજબ ટાઉનહોલ, વિરલબાગ સહિતના કેટલાંક મુખ્ય મથકો ઉપર કેટલાંક સમયથી કેટલાંક ભિક્ષુકો પડ્યાં પાથર્યા રહેતાં હોય આવા ભિક્ષુકો રસ્તા પર ગંદકી કરતાં હોવાની ફરિયાદો મળી હતી. ખાસ કરીને ટાઉનહોલ વિસ્તારમાં આખો દિવસ પડ્યાં રહેતાં હતાં કેટલાંક ફુવારાના પાઈપોની પણ અમુક લોકો ચોરી કરી ગયાં હોવાનું પણ બહાર આવ્યું હતું તેમજ ત્યાં રસોઈ બનાવતાં હોવાથી આજુબાજુના વિસ્તારમાં પણ ભારે ગંદકી ફેલાતી હતી. જેને ધ્યાને લઈને મેયર બીનાબેન કોઠારીએ મહાપાલિકાના અધિકારીઓને સાથે રાખીને આવા ભિક્ષુકોને સેલ્ટર હોમમાં ખસેડ્યા હતાં.


એસ્ટેટના અધિકારીએ વિરલ બાગ સહિતના વિસ્તારોમાં જઈને આવા ભિક્ષુકોને બસ મારફત રૈન બસેરા ખાતે આવેલા સેલ્ટર હોમમાં ખસેડ્યા હતાં. જામનગરના મુખ્ય સ્થળોએ આ પ્રકારે કેટલાંક ભિક્ષુકો પડ્યા પાથર્યા રહે છે ત્યારે તેમની આ કાયમી સમસ્યા દૂર થાય તે માટે જામનગર મહાપાલિકાએ પણ પ્રયત્નો કરવા જોઈએ.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application