વાંકાનેર પોલીસને મળેલી બાતમીના આધારે ચોકકસ ગેંગ કે જે મોરબી, રાજકોટ, જામનગરમાં લુંટ ધાડ પાડવા માટે ફરે છે. વાંકાનેર વાણંદ સમાજની વાડીમાં ડો. ભરતસિંહ રાજપુત કે જે મુળ અમદાવાદના હોય તેને ત્યાં બે કાળા કલરની સ્કોર્પીયો કારમાં આવી ડોકટરને લુંટવા હથીયાર સાથે આંટાફેરા કરી વાંકાનેરમાં છે અને જો લુંટ ધાડ પાડવામાં સફળ ન થાય તો આ ડો. ભરતસિંહ પાસેથી મોટી રકમ વસુલવાના ઈરાદે તેનું અપહરણ કરી તેને ડરાવી ધમકાવી તેની પાસેથી ખંડણી વસુલવાના છે જે બે કાર પૈકી એક નંબર પ્લેટ વગરની તથા એક જીજે૨૭ઈડી ૦૦૮૦ વાળી છે. નંબર પ્લેટ વગરની કારમાં સમીર ઉર્ફે સ્ટાઈલો આબીદ જહીદ શેખ રહે. મુંબઈ, વિશાલ નારાયણ સોનવણે મરાઠા અમદાવાદ તેની પાસેથી મોબાઈલ તેમજ એક છરી, વણ ઉર્ફે ગોલ્લ ુ સંજય શર્મા રહે. મુંબઈ તેની પાસેથી છરી અને અનીલ ઉર્ફે અલબર્ટ લાહાનીયા ઝુંબલ તેની પાસેથી એક કાળા કલરની એરગન મળી આવી હતી. મુદ્દામાલ સાથે બધા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બનાવથી વાંકાનેરમાં સનસનાટી મચી જવા પામી છે. પકડાયેલા આરોપી પૈકી એક સગીર હોવાનું જણાવાયું છે.
ગઈરાતના ૧ વાગ્યે વાંકાનેર રાજકોટ રોડ પર નીકળેલ બે ગાડીમાં ચાર ચાર ઈસમો બેઠા હતા. તેમાં હથીયાર છરી તથા ધોકા સાથે જિલ્લ ા રાજ્ય બહારના હતા. તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા છરી, કાર પૈકી જીજે૨૭ઈડી ૦૦૮૦વાળીમાં બેઠેલ ચાર ઈસમોમાં રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૫ રહે. પીપરડીના નેફામાંથી પિસ્તોલ અને ખીસ્સામાંથી ત્રણ જીવતા કાર્ટીસ, સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફુલા સાબળે રહે. અમદાવાદ પાસેથી મોબાઈલ ૩, જીયો કંપનીનું ડોંગલ અને છરી, રાજેશ કેદારપ્રસાદ રામાણી રહે. મુંબઈ પાસેથી મોબાઈલ અને છરી, સાંઈ ઉર્ફે સુર્યા સુનીલ સકટ રહે. મુંબઈ પાસેથી મોબાઈલ મળી આવેલ. કાર રવિરાજસિંહ જાડેજાની હતી. તેમાંથી ધોકો તથા પિસ્તોલનું ખાલી મેગઝીન મળી આવેલ હતું.
આ કાર્યવાહીમાં વાંકાનેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.વી.કાનાણી, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ, છનાભાઈ, અજયભાઈ, લાખાભાઈ પરબતભાઈ તથા જનકભાઈ ઉપરાંત મોરબી એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચીયા, કોન્સ્ટેબલ શકિતસિંહ, વિક્રમભાઈ, નરશીભાઈ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech