BREAKING NEWS

જામનગરમાં શ્રમિક યુવાનનો ગળાફાંસો ખાઇને આપઘાત

  • November 26, 2025 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં શંકર ટેકરી નજીક વાલ્મિકી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિપાલ સંજયભાઈ વાઘેલા નામના ૨૪ વર્ષના શ્રમિક યુવાને પોતાના ઘેર હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
​​​​​​​

આ બનાવ અંગે વિષ્ણુભાઈ સંજયભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. બી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવના મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application