હાલારમાં રાત્રી સુધી યલ્લો એલર્ટ: 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

  • May 29, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી બે દિવસ વાતાવરણમાં રહેશે બદલાવ: તંત્ર બન્યું એલર્ટ



પશ્ર્ચિમ બંગાળમાં રેમન વાવાઝોડુ ત્રાટકયા બાદ તેની અસર થોડીઘણી ગુજરાતમાં જોવા મળી હતી, ગઇકાલે સાંજે જામનગરમાં પણ બીજા દિવસે 65 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગઇકાલ સવારથી જ હાલારમાં આજે એટલે કે તા.29ની રાત્રી સુધી યલ્લો એલર્ટ અપાતા તંત્ર એલર્ટ થયું છે, બપોરના ગરમી અને રાત્રે પવન ફુંકાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે આજે સવારના 6 વાગ્યાથી કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોનસુનની કામગીરીને કારણે લાઇટો બંધ કરી દેવામાં આવી છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  37 ડીગ્રી, લઘુતમ તાપમાન 29.6 ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા અને પવનની ગતિ 60 થી 65 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજથી 5 જુન સુધીમાં મીની વાવાઝોડુ ફુંકાશે, એટલું જ નહીં બપોરની જેમ રાત્રે પણ અસહ્ય ગરમી રહેશે, કેટલાક ગામોમાં તો તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે.


ડોકટરોના જણાવ્યા મુજબ જામનગરની ખાનગી અને જી.જી.હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને પેટના દુ:ખાવાના કેસો વધી રહ્યા છે, બંને જિલ્લાના પીએચસી-સીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે, હજુ ત્રણ દિવસ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જાય તેવી શકયતા છે ત્યારે રાજયના ડીઝાસ્ટાર મેનેજમેન્ટે સુચના આપીને હીટવેવથી લોકોને વધુ નુકશાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે, ડોકટરોના જણાવ્યા મુજબ એકાએક ચકકર આવે કે ઉલ્ટી થાય તો તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનાનો ડોકટરનો સંપર્ક કરવો, લીંબુ પાણી, ઓઆરએસ, નાળીયેર પાણી અને સાદુ પાણી સતત પીતા રહેવું જરી છે, શરીરમાંથી પાણી ઘટી જાય તો દર્દીની તબીયત વધુ લથડે એના માટે સાવચેતી જરી છે.


જામનગરનું તાપમાન 36 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, ગઇકાલે સાંજે ભારે પવન ફુંકાયો હતો અને મોડી રાત્રે પવનની ગતિ તેજ બની હતી, જાણે કે હાલારના દરિયાકાંઠે મીની વાવાઝોડુ હોય તેવો માહોલ સર્જાયો હતો. લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 42 થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

જામનગરમાં ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક વૃક્ષોની ડાળી પણ તૂટી ગઇ હતી, બે દિવસ પહેલા 80 કીમીની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, ત્યારબાદ ગઇકાલે પણ હવામાન ખાતાએ યલો એલર્ટ આપ્યા બાદ 6પ કીમીની ઝડપે પવન ફૂંકાતા કેટલાક ઝાડની ડાળીઓ બેન્ડ વળી ગઇ હતી, આમ સમગ્ર હાલારમાં દરિયાકાંઠે બે દિવસથી ભારે પવન ફૂંકાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application