રાજકોટમાં ડેંગ્યુથી મહિલાનું મોત: આરોગ્ય વિભાગ નિંદ્રામાં

  • September 19, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત રાયમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ રોગચાળાએ ભરડો લેતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતારો અને ઘરે ઘરે માંદગીમાં ખાટલા જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુ જેવા રોગમાં લાંબા ગાળાની સારવાર દરમિયાન દર્દીના મૃત્યુ પણ થઇ રહ્યા છે પરંતુ આરોગ્ય તત્રં ઘોર નિંદ્રામાં પોઢી રહયું હોય તેમ ચોક્કસ કામગીરીના અભાવે લાગી રહ્યું છે.
રાજકોટમાં ડેન્ગ્યુથી મહિલાનું મોત નીપયું છે, કેટલાક દિવસથી તાવ આવતો હોઈ શરીરમાં નબળાઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી રહી હતી ગઈકાલે તબીયત વધુ લથડતા તેને અન્ય ખાનગી હોસ્પિટલએ લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં દમ તોડી દેતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોઠારીયા વિસ્તારમાં શિવ ભવાની ચોક નજીક રાધેશ્યામ સોસાયટી શેરી નં–૧માં રહેતા નયનાબેન આશિષભાઈ મોલીયા (ઉ.વ.૩૫) નામના મહિલા મોડી રાત્રે એકાએક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામા આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતકના પતિ આશિષભાઈ જોબવર્ક કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. સ્વજનોના જણાવ્યા મુજબ નયનાબેનને કેટલાક દિવસથી જીણો મોટો તાવ ચડ ઉત્તર રહેતો હતો પહેલા દવાખાનેથી દવા લીધી હતી એમ સાં ન થતા ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ડેન્ગ્યુની અસર હોવાનું તબીબે નિદાન  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application