મતદાન ચેતના અભિયાન : 25 થી 31 ઓગસ્ટ સુધી કાર્યક્રમ

  • August 24, 2023 12:10 PM 

રાજકોટમાં આજે સાંસદ મોહન કુંડારિયાની પત્રકાર પરિષદ યોજાઇ હતી. મતદાન ચેતના અભિયાન અંતર્ગત આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં મતદાનની રુચિ વધારવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 


મતદાન ચેતના અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં યુવા મતદારો વધુમાં વધુ જોડાય તેના માટે પ્રયાસ કરવામાં આવશે. 25 થી 31 ઓગસ્ટ સુધી આખા ભારતમાં મતદાન ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય, તાલુકા, શહેર અને જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજકોટ બેઠકમાં 70%થી વધુ મતદાન થશેનો દાવો સાંસદ મોહન કુંડારિયાએ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application