લાલપુર અને કાલાવડ પંથકમાં કૂવો ગાળતી વખતે સર્જાયેલી દુર્ઘટના બે વ્યક્તિના મૃત્યુ

  • November 22, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવડી ગામમાં કુવામાંથી મોટર કાઢતી વેળાએ વીજ તારને અડી જતાં શ્રમિકનો ભોગ લેવાયો : નાનાવડાળા સીમમાં ગારના પથ્થરો માથે થડતા ગંભીર ઇજાથી યુવાનનું મૃત્યુ

લાલપુર અને કાલાવડ પંથકમાં કૂવો ગાળતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી,  જેમાં બે વ્યકિતના મૃત્યુ થયા છે લાલપુરના વાવડી ગામમાં કુવામાંથી મોટર બહાર કાઢતી વેળાએ વિજલાઇનમાં અડી જતા શોટ લાગવાથી યુવાનનું મૃત્યુ થયુ હતુ જયારે બીજા બનાવમાં કાલાવડના નાનાવડાળા વિસ્તારમાં કુવો ગાળતી વેળાએ ગારના પથ્થરો માથે પડતા ગંભીર ઇજા સબબ શ્રમિક યુવાનનું સારવારમાં મૃત્યુ થયુ હતું.
લાલપુર પંથકમાં પ્રથમ બનાવ વાવડી ગામના ખેડૂત અશ્વિનભાઈ ચનાભાઈ ડાંગરની વાડીમાં બન્યો હતો. જયાં કૂવો ગાળવાનું કામ કરી રહેલા વાવડી ગામના ધરણાભાઈ હમીરભાઈ વાવરોટીયા (૪૦ વર્ષ) પોતે બોર કુવામાંથી મોટર કાઢવાનું કામ કરતા હતા લોખંડના થાંભલા ઉભા કરી પોતે ત્યાં મોટર કાઢતી વખતે ઘોડીનો થાંભલો ત્યાથી પસાર થતી વિજલાઇનમાં અડી જતા કરન્ટ લાગવાથી મૃત્યુ થયુ હતું  આ બનાવ અંગે દાનાભાઈ હમીરભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
બીજો બનાવ કાલાવડ તાલુકાના નાનાવડાળા ગામમાં બન્યો હતો. ત્યાં જયેશભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં કૂવો ગાળી રહેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામના મુકેશ દેવજીભાઈ ચૌહાણ (૩૦ વર્ષ) જેઓ કુવો ગાળવાની મજુરીનું કામ કરતા હતા અને ગાર ખાલી કરવા જતા ઢગલા પરથી પગ લપસીને પડી જતા ગારના પથ્થરો તેની માથે પડતા શરીરે ગંભીર ઇજાઓ થતા રાજકોટ સરકારી દવાખાને લઇ જવામાં આવેલ જયાં સારવારમાં મૃત્યુ થયુ હતું. આ બનાવ અંગે રમેશભાઈ અનુપભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application