શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રોઢાના ઘરમાં ચાવી બનાવવા આવેલ બે સરદારજી રૂ.૫૦ હજારની રોકડ ચોરી કરી ગયા હતાં. જે અંગે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મંગળા મેઈન રોડ પર અંજની પાન વાળી શેરીમાં મનહર પ્લોટ શેરી નં-૫ માં રહેતાં હર્ષાબેન દીલીપભાઈ પરમાર (ઉ.વ.૫૭) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. ગઈ તા.૧૨ ના બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તે ઘરે એકલા હતા ત્યારે શેરીમા ચાવી બનાવવાવાળા આવેલ અને પાડોશી નિતીનભાઇ ઉર્ફે ભોલાભાઇ જાદવ એકટીવાની ચાવી સરદારજી પાસે બનાવડાવતા હતાં. જેથી તેઓ ઘરની બહાર આવેલ કબાટની તીજોરીની ચાવી બનાવવાની હોય જેથી નિતીનભાઈને કહેલ કે, મારે પણ ચાવી બનાવવાની છે, હું એકલી છુ, તમે આ ચાવી બનાવવાળા સરદારજીને લઈ મારા ઘરે આવો, જેથી એક સરદારજી આ એકટીવાની ચાવી બનાવતો હતો અને તેની સાથે બીજો સરદારજી હતો તેને લઈ નીતિનભાઈ ઘરે આવેલ હતાં.
સરદારજીને ઘરના રૂમના કબાટનુ લોકર બતાવી કહેલ કે, આની ચાવી બનાવવાની છે, જેથી તે ચાવી બનાવવા લાગેલ અને નીતીનભાઈ અને તેઓ ત્યા બેસેલ હતાં. એકટીવાની ચાવી બની જતા તે બીજો સરદારજી ઘરની અંદર આવેલ અને નીતીનભાઇને કહેલ કે, તમારી ચાવી બની ગયેલ છે અને નીતીનભાઈ પાસે રૂપીયા ન હોય જેથી તેઓ તેમના ઘરે રૂપીયા લેવા માટે ગયા હતાં. આ સમયે પ્રૌઢા ઘરે એકલા હતા ત્યારે ઘરના દરવાજે જઈ નીતીનભાઈને બોલાવવા લાગેલ બાદ રૂમમા જયા બે અજાણ્યા સરદારજી હતા ત્યા ગયેલ અને અને સરદારજીએ ચાવી બનાવી આપી હતી.
તે ચાવી કબાટના લોકરમા લગાડતા લાગેલ નહી જેથી તે સરદારજીએ કહેલ કે, એક કલાકમા તમને ચાવી બનાવી આપી જઈશુ તેમ કહી તે બંને ઘરેથી નીકળી ગયા હતા અને બે કલાક સુધી સરદારજીઓ આવેલ નહીં જેથી શંકા જતા મકાનના બીજા માળે ભાડે રહેતી દિવ્યાને બોલાવેલ અને તિજોરીનો લોક તોડી જોતા તિજોરીની અંદર ત્રણ નાના પાકીટ રાખેલ હતા તે જોવામાં આવેલ નહીં અને તે ત્રણેય પાકીટમા રોકડા રૂ.૫૦, હજાર રાખેલ હતા તે અજાણ્યા સરદારજી ચોરી કરી ગયાનું માલુમ પડયું હતું.જેથી આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.