ભાવનગર શહેર નજીક આવેલા સિહોર ખાતે રોલિંગ મિલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં મોડી રાત્રે અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જે ઘટનામાં પાંચ જેટલા શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે શ્રમીકોના મોત નીપજ્યા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર નજીક આવેલા સિહોર ખાતે રોલિંગ મિલ કંપનીઓ આવેલી છે. આ રોલિંગ મિલની કંપનીઓમાં લોખંડ સ્ટીલના સળિયા બનાવવામાં આવે છે. જેમાં ગત મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર લોખંડ પીગળવાની ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં ધડાકાભેર અચાનક જ બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલા પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જે તમામ ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિહોર જઈઆઇડીસી ૪ માં આવેલી રૂદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટને લઇ આજુબાજુના દૂર સુધીના વિસ્તારમાં ધડકાનો અવાજ સંભળાયો હતો. અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનામાં રાજુભાઈ ચૌહાણ, રાજભાઈ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણ તમામ (રહે મહારાષ્ટ્ર)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં તેઓને સર ટી હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં સારવાર દરમિયાન રતિલાલ રામદૂલર (ઉ.વ.૪૧) અને પરષોત્તમભાઈ મુનાલાલ ચૌહાણ (ઉ.વ.૧૯)નું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સિહોર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ અકસ્માતે બ્લાસ્ટના બનાવ અંગે નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech