પંજાબી ગાયક ગુરુ રંધાવાના જીમમાં ગોળીબારની ઘટનાના બરાબર ૧૪ દિવસ પછી દિલ્હી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે એન્કાઉન્ટર બાદ બે આરોપીઓની ધરપકડ કરી છે. સાઉથ દિલ્હીમાં થયેલી અથડામણ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો દર્શાવે છે કે બંને આરોપીઓ અનિલ પંડિત અને લોરેનસ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે. એન્કાઉન્ટર દરમિયાન, બંને વ્યકિતઓને પગમાં ગોળી વાગી હતી.
૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ, દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં ગુરુ રંધાવાના જીમ, '૨૪ કલાક ફિટનેસ' પર અજાણ્યા હત્પમલાખોરોએ ગોળીબાર કર્યેા હતો; સદનસીબે, કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ, દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કેસનો હવાલો સંભાળ્યો અને વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી. હત્પમલાના થોડા સમય પછી, લોરેનસ ગેંગે આ સનસનાટીભર્યા ગોળીબારની જવાબદારી સ્વીકારી. એક કથિત સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે દાવો કર્યેા હતો કે તેમની ગેંગે ગુરુ રંધાવાના જીમમાં ગોળીબારનું આયોજન કયુ હતું.
એક વાયરલ ઓડિયો કિલપમાં કથિત રીતે એક ગેંગ સભ્ય પણ દર્શાવવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાન સાથેના નજીકના સંબંધોને કારણે ગુરુ રંધાવા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દાવાઓ બાદ, દિલ્હી પોલીસે તેમની તપાસ ઝડપી બનાવી. તેમણે જીમની આસપાસના સીસીટીવી ફટેજની તપાસ કરી અને પુરાવા એકત્ર કરવાનું શરૂ કયુ. તપાસમાં જાણવા મળ્યું કે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હત્પમલાખોરો, જેમણે તેમના ચહેરા કપડાથી ઢાંકયા હતા, તેમણે હત્પમલો કર્યેા હતો. ઘટનાના છ દિવસ પછી ૧૭ જૂનના રોજ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાનચે બે અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ, અમન અને તુષાર, લોરેનસ ગેંગ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં ફાયરિંગની ઘટનામાં તેમની સંડોવણી બહાર આવી હતી. આ પછી, દિલ્હી પોલીસે તેમના નેટવર્ક અને જોડાણોની તપાસ વધુ સઘન બનાવી છે.