ફટાકડા ફોડવા બાબતે ઠપકો આપતા ઘર પર પથ્થરમારો, તોડફોડ

  • November 17, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ખોડિયારનગર વિસ્તારમાં તારીખ 14 ના મોડી રાત્રીએ 12 જેટલા શખસોએ અહીં રહેતા વિપ્ર પરિવારના ઘર પર તલવાર અને પાઇપ વડે હુમલો કરી બેફામ પથ્થરમારો કર્યો હતો. જેમાં યુવતી સહિત બેને ઇજા પહોંચી હતી તથા મકાનના બારીના કાચ ફોડી નાખ્યા હતા.યુવતીના પરિવારનું અન્ય મકાન વિશ્વકમર્િ સોસાયટીમાં આવેલું હોય જ્યાં આરોપી ફટાકડા ફોડતા પતરાને નુકસાન થયું હોય આ બાબતે સમજાવતા તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પાવર હાઉસની બાજુમાં ખોડીયારનગર શેરી નંબર 1/7 ના ખૂણે રહેતી જાગૃતિ જયસુખભાઈ વ્યાસ(ઉ.વ 24) નામની યુવતીએ આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તિરૂપતિનગર ગણેશ માર્બલ વાળી શેરીમાં રહેતા જયદીપ રસિકભાઈ બકરાણીયા અને તેની સાથેના અજાણ્યા 11 શખસોના નામ આપ્યા છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 14/ 11 ના રાત્રિના પોણા બે વાગ્યે આસપાસ તે તથા તેમના માતા ભાવનાબેન અને પિતરાઈ પ્રકાશ વ્યાસ અહીં ઘર પાસે બેઠા હતા ત્યારે શેરીમાંથી તેના ફઈનો પુત્ર ભૌતિક વ્યાસ(ઉ.વ 12) દોડતો દોડતો આવ્યો હતો અને કહ્યું હતું કે, ભાગો ઓલા લોકો આવી ગયા છે. દરમિયાન જયદીપ તથા તેની સાથેના બીજા 11 જેટલા શખસો સાત થી આઠ વાહનમાં અહીં પાઇપ અને તલવાર જેવા હથિયારો લઇ આવી પહોંચ્યા હતા અને તેમણે પથ્થરમારો કર્યો હતો આ દરમિયાન યુવતીનો અન્ય ભાઈ પ્રકાશ શેરીમાં હોય તેને બચાવવા જતાં યુવતીને માથાના તથા પેટના ભાગે પથ્થર લાગી ગયો હતો અને પ્રકાશને પણ કોણીના ભાગે પથ્થર લાગતા ઈજા પહોંચતી હતી બાદમાં જેમ તેમ કરી બંને ઘરમાં ચાલ્યા ગયા હતા અને ડેલી બંધ કરી દીધી હતી દરમિયાન આ શખસોએ પાઇપ અને તલવાર વડે ડેલીમાં ઘા માયર્િ હતા તેમજ પથ્થરમારો કરી બારીના કાચ ફોડી નાખ્યા હતા જતા સમયે શેરીમાં ફરિયાદીનું બીજું મકાન આવેલું હોય તે મકાનની લોખંડની ડેલી પણ તોડી નાખી હતી.
યુવતીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વકર્મા સોસાયટી શેરી નંબર 18 માં તેમનું અન્ય મકાન આવેલું હોય જે ભાડે આપેલું છે. જ્યાં જયદીપ બકરાણીયા ફટાકડા ફોડતો હોય અને તેના લીધે મકાનનું પતરૂ તૂટી જતા આ બાબતે યુવતીના પિતાએ જયદીપ્ને ઠપકો આપ્યો હતો. જે બાબતનું મનદુ:ખ રાખી જયદીપ તથા તેની સાથેના અજાણ્યા 11 જેટલા શખસોએ અહીં આવી પાઇપ અને તલવાર વડે હુમલો કરી પથ્થરમારો કરી ઘરમાં તોડફોડ કરી હતી તેમજ યુવતી તથા તેના પિતરાઈ ભાઈને ઇજા પહોંચાડી હતી. આ મામલે માલવીયાનગર પોલીસે આરોપીઓ સામે રાયોટ અને તોડફોડ સહિતની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

યુવતીના પિતાને વિશ્વકર્મા સોસાયટીમાં છરી લઈ આરોપીઓ મારવા દોડ્યા’તા

રાયોટની ફરિયાદ નોંધાવનાર યુવતી જાગૃતિના પિતા જયસુખભાઈ કરસનજીભાઈ વ્યાસ(ઉ.વ 58) નું અન્ય એક મકાન વિશ્વકર્મા સોસાયટીમાં આવેલું હોય જ્યાં આરોપી કે જે તેમના કુટુંબિક ભાઈ રસિકભાઈનો પુત્ર હોય તે ફટાકડા ફોડતા સિમેન્ટનું પતરું તોડી નાખ્યું હોય જેથી જયસુખભાઈ અહીં તેને સમજાવવા માટે ગયા હતા. ત્યારે જયેશના પિતા રસિકભાઈ તેનો ભાઈ ઠોડી અહીં આવી ગયા હતા અને આ ત્રણેય યુવતીના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને તેને છરી લઈ મારવા દોડયા હતા જેથી યુવતીના પિતા અહીં ખોડીયાર નગર આવી ગયા હતા. આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં જયેશ રસિકભાઈ બકરાણીયા,ઠોડી બકરાણીયા અને રસિક બકરાણીયા સામે ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application