જસદણના ગોંડલધારમાં રહેતા યુવકને વાડીએ લઇ જઈ ઢોર મારમારી ગરમ કોસથી પગ અને પાછળના ભાગે ડામ આપી પરત ઘર પાસે મૂકી જતા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.યુવાનને આરોપીની પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકાએ તેને ચોખવટ કરવાના બહાને વાડીએ બોલાવી આ અત્યાચાર કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોડલાધારમાં રહેતા અને ખેતીકામ કરનાર પરબતભાઇ ભીમાભાઇ માણકોલીયા (ઉ.વ.40) નામના કોળી યુવાન ગત બપોરે ઘર પાસે હતો ત્યારે ગામમાં જ રહેતો ભુપત કરમશી કોળી અને તેના બે ભત્રીજા કિશન અને યોગેશ કારમાં આવી પરબતભાઈને વાતચીત કરવાનું કહી કારમાં બેસાડી ભૂપતની વાડીએ લઈ જઈ ધોકા વડે આડેધડ મારમારી ગરમ કોસ કરી પગ અને થાપાના ભાગે ડામ દીધા હતા અને યુવકને સાંજે પરત ઘર પાસે મૂકી નાસી ગયા હતા. યુવકની ઈજાગ્રસ્ત હાલતમા પ્રથમ જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી છે.
બનાવ અંગે પરબત માણકોલીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભુપત કરમશીભાઇ માણકોલીયા,રવિ મુકેશભાઇ માણકોલીયા,કિશન મુળજીભાઇ માણકોલીયા,યોગેશ જીવાભાઇ માણકોલીયા અને રસિક જીંજુ માણકોલીયાના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ગઇકાલે બપોરના સુમારે ઘરે હતો ત્યારે આરોપી ભુપત અને તેના પરિવારના સભ્યો ઘરે આવ્યા હતાં અને ભુપતે કહ્યું હતું કે,તે મારી પત્ની સાથે આડાસંબંધ છે જેથી યુવાને તેનો ઇનકાર કર્યો હતો.બાદમાં આ વાતની ચોખવટ કરવાના બહાને યુવાનને વાડીએ આવવા કહ્યું હતું જેથી યુવાન આરોપી સાથે તેના વાહનમાં વાડીએ જતા અહીં ઉગ્ર બોલાચાલી કરી બાદમાં યુવાન પર આ અત્યાચાર કર્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 324,323,504,114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ લોકસભામાં ભગવાન શંકરનો ફોટો બતાવી કહ્યું કે...
July 01, 2024 02:40 PMજામનગર રેઇડ ઝોનમાં... રણજીતસાગર ડેમમાં નવા નીર....મનપા કમિશનરે આપી માહિતી
July 01, 2024 01:58 PMઅયોધ્યામાં રામલલાને રત્નજડિત ચંદનનું તિલક, પરંતુ પૂજારી આ વ્યવસ્થાથી નારાજ,જાણો શું છે કારણ
July 01, 2024 01:18 PMજામજોધપુરમાં રહેતા હોટલ સંચાલકનો આપઘાત
July 01, 2024 12:45 PMઆશીર્વાદદીપ સોસાયટીમાથી તીનપતીનો જુગાર પાંચ સ્ત્રી-પુરુષો રમતા પકડાયા
July 01, 2024 12:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech