કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ આખરે કન્ફર્મ થઈ ગઈ છે. બે વખત રિલીઝ ડેટ બદલ્યા બાદ કંગના રનૌતે આખરે ખુલાસો કર્યો છે કે તે પોતાની ફિલ્મ ક્યારે રીલીઝ કરવાની છે. ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહેલી કંગનાએ પણ તેનું પોસ્ટર શેર કર્યું છે.
કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીની છેલ્લા એક વર્ષથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આખરે ખબર પડશે કે આ ફિલ્મ થિયેટરોમાં ક્યારે આવી રહી છે.
મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ઈમરજન્સી શરૂઆતમાં 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર તે થિયેટરોમાં આવી શકી ન હતી. બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ 7 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી અને તે 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી. પરંતુ કંગના રનૌતની ચૂંટણી યાત્રાને કારણે તે પણ મોકૂફ રાખવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતની જીત બાદ આખરે ઈમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. 25 જૂને અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગનાએ ચાહકોને ખુશખબર આપી છે. તેણે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવી રહી છે. પોસ્ટરમાં અભિનેત્રી ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે.
આ પોસ્ટર સાથે કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત. કંગના રનૌત દ્વારા 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં ઈમરજન્સીની ઘોષણા. ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ એપિસોડની વિસ્ફોટક ગાથા. "
મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત માત્ર મુખ્ય ભૂમિકામાં જ નથી જોવામાં આવી પરંતુ તેણે આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દિવંગત અભિનેતા સતીશ કૌશિક, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં 1975માં ભારતની સૌથી કાળી અધ્યાય ઈમરજન્સીની ગાથા કહેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationJ-K: બડગામમાં મોટો અકસ્માત, 32 BSF જવાનને ઈજા, 3 ના થયા મૃત્યુ
September 20, 2024 11:17 PMલેબનોન બ્લાસ્ટમાં થયો મોટો ખુલાસો, વોકી ટોકીમાં લગાવવામાં આવ્યો હતો આ ખતરનાક ગનપાઉડર
September 20, 2024 11:15 PMગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech