સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સલ ગ્રાન્ટેડ કોલેજ સહિત સમગ્ર રાયની ૧૩૫ જેટલી કોલેજોમાં લાંબા સમયથી આચાર્યની જગ્યા ખાલી પડી છે. તે ભરવા માટે રાય સરકાર દ્રારા છેલ્લા એક વર્ષથી પ્રયાસો થતા હોવાનું દેખાડવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ પ્રકારે ભરતી નહીં કરવાનો સરકારો ઇરાદો હોવાના આક્ષેપ શિક્ષણ જગતમાં થઈ રહ્યા છે.
આચાર્યેાની ભરતી માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્રારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનાથી વિપરીત નવા નિયમો કમિટીએ સૂચવ્યા હતા અને તે સામે સ્વાભાવિક રીતે વિરોધ ઊઠશે તેવી ગણતરી માંડીને આવવા નિયમોની અમલવારી શ કરવામાં આવી હતી અને વિરોધ ઊઠા પછી સરકારે આ બાબતમાં નવેસરથી રીવ્યુ કમિટી રચવાની જાહેરાત કરીને વધુ એક વખત આ બાબત પર ઇન્ટરવલ પાડી દીધો છે.કોલેજોમાં આચાર્યનો પે ગ્રેડ ૯,૦૦૦ નો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારા ધોરણ મુજબ આચાર્ય તરીકે અરજી કરનાર ઉમેદવાર પીએચડી હોવો જોઈએ અને ૧૫ વર્ષનો અનુભવ તેમના માટે જરી છે. ઉમેદવારે આઈટી રિટર્ન રજૂ કરવાની કયાંય જોગવાઈ ન હોવા છતાં ૯૦૦૦ ના પે ગ્રેડ વાળી જગ્યા માટે સરકાર દ્રારા નિયુકત થયેલી કમિટીએ ૧૫ લાખના આઈટી રિટર્ન પણ માંગ્યા છે.
જે ઉમેદવારોએ આવા આઈટી રિટર્ન રજૂ કર્યા નથી તેમના મામલે સરકારે કોલેજ સંચાલકોને ગાંધીનગર બોલાવ્યા હતા અને આવા રિટર્ન તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. ૧૫ જેટલી કોલેજના સંચાલકોએ સરકારના આ નિયમને ઘરની ધોરાજી જેવો બતાવી તેનો વિરોધ કરતા સમગ્ર મામલો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેસરીયા સમક્ષ પહોચ્યો હતો અને તેમણે આ બાબતમાં ફરી રિવ્યુ કમિટી રચવાની જાહેરાત કરી હતી.
જે બાબત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સૂચનામાં આવતી નથી તે બાબત તાત્કાલિક દૂર કરવાના બદલે ફરી નવેસરથી રિવ્યુ કમિટી રચવાના નિર્ણયથી પણ વિવાદ થયો છે. પરંતુ અત્યારે તો ૧૩૫ કોલેજોમાં આચાર્યેાની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ચાલતી પ્રક્રિયાને બ્રેક લાગી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech