લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશભરમાં વાહન વ્યવહાર પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં ત્યારે કેટલીક ટ્રેનો પણ બંધ કરવામાં આવી હતી. જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતાં આથી મુસાફરોની ચિંતાને ધ્યાનમાં રાખીને આજકાલ દ્વારા તા.૧૯-૪ને બુધવારના રોજ અખબારમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેમજ આજકાલના સુચન બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને લોકડાઉનમાં બંધ થયેલી ટ્રેન ફરીથી શરૂ કરવા માટેની રજૂઆત કરી હતી. આ બાબતે હકારાત્મક અભિગમ દાખવીને આ રેલવે મંત્રીએ ઓખા-રાજકોટ-વિરમગામ ટ્રેનને ટૂંક સમયમાં શરૂ કરવા બાંહેધરી આપી હતી.
લોકડાઉનમાં બંધ કરવામાં આવેલ ટ્રેનનો અહેવાલ આજકાલમાં પ્રસિધ્ધ થયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાને પ્રજાની મુશ્કેલીઓ ધ્યાને પડતા તેમણે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને આ અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત અગાઉ રામભાઇ મોકરિયા દ્વારા પ્રજાના પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને ૧૬ ટ્રેન રાજકોટ સુધી લંબાવી આપવા અથવા ટ્રેનોને સપ્તાહમાં બે કે ત્રણ દિવસ રાજકોટ સુધી આપવાની પણ રજુઆત કરવામાં આવી હતી.
લોકડાઉન પહેલા ઓખા વિરમગામની ટ્રેન જે વહેલી સવારે ઓખાથી ઉપડતી હતી અને સવારે અંદાજે ૯-૩૦ વાગ્યે રાજકોટ આવતી હતી અને સાંજે ૬-૧૫ વાગ્યે રાજકોટથી ઉપડતી હતી અને રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ ઓખા પહોંચતી હતી. આ ટ્રેન દ્વારા પ્રવાસીઓને સારી સુવિધા ઉપલબ્ધ હતી. જેમાં વહેલી સવારે શ્રધ્ધાળુઓને દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરમાં ઠાકોરજીની આરતી-દર્શનનો લાભ મળતો હતો પરંતુ કોરોનાકાળ દરમિયાન ટ્રેનો બંધ થઇ જતાં દ્વારકા જતાં દર્શનાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હાલ આ ટ્રેન શ થવાના સમાચારથી શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી અનુભવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરવાસીઓને ત્રણે બાજુથી લુંટતા ટોલનાકામાં સ્થાનિક કક્ષાએ ટેકસમાંથી તાત્કાલિક મુક્તિ આપો
September 20, 2024 04:03 PMરાણાવાવમાં પોસ્ટઓફિસ પાછળ વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો
September 20, 2024 04:02 PMઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
September 20, 2024 04:01 PMશું ભારતમાં Mpoxનો બીજો કેસ છે ખતરાની ઘંટડી? સુરક્ષિત રહેવા માટે આજથી જ અપનાવો આ આદતો
September 20, 2024 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech