સામસામાં ફાયરિંગમાં એક આતંકવાદી પણ ઘાયલ થયાના અહેવાલ
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગુરુવારે સાંજે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે બે પોર્ટર પણ માયર્િ ગયા.જો કે સામસામાં ગોળીબારમાં એક આતંકી પણ ઘાયલ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે બે પોર્ટર પણ માયર્િ ગયા છે.પ્રવક્તાએ જણાવ્યું કે, બારામુલ્લા જિલ્લાના બુટાપથરીના નાગીન વિસ્તાર પાસે આતંકવાદીઓએ લશ્કરી વાહન પર હુમલો કર્યો. આ ઘટના અંગે સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પોલીસે જણાવ્યું હતું કે નાગિન પોસ્ટની આસપાસ બારામુલ્લા જિલ્લાના બુટાપથરી સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તથ્યોની પુષ્ટિ કયર્િ પછી વધુ માહિતી શેર કરવામાં આવશે. આ હુમલામાં એક આતંકવાદી પણ ઘાયલ થયો છે. બારામુલ્લા પોલીસે જણાવ્યું કે જિલ્લાના બૂથપત્રી સેક્ટરમાં નાગીન પોસ્ટ પાસ પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. પોલીસ હકીકતની ચકાસણી કરવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ઓચિંતો હુમલો હતો. મળતી માહિતી મુજબ, આતંકીઓએ 18 આરઆર જવાનોના વાહન પર ઓચિંતો હુમલો કરીને હુમલો કર્યો હતો. શિયાળાની જમાવટ થાય તે પહેલા આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘુસવાના પ્રયાસો કરે છે. ખીણ વિસ્તારોની સાથે સાથે જમ્મુ ક્ષેત્રને અડીને આવેલા સરહદી વિસ્તારોમાંથી પણ આતંકવાદીઓ દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ગુલમર્ગમાં એલઓસી પાસે બૂથપત્રી ખાતે ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ, આ હુમલામાં 5-6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતા.
કેટલાક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. બાદમાં આમાંથી ત્રણ જવાનો શહીદ થયા હતા, જ્યારે બે કુલી પણ માયર્િ ગયા હતા. ઘાયલોને સારી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલો એક પોસ્ટથી બીજી પોસ્ટ પર જવા દરમિયાન કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech