BREAKING NEWS

સૌરાષ્ટ્રના મુસાફરો ધ્યાન આપો...રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે, જાણો કારણ

  • June 26, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર રેલવેના લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અંતર્ગત ઓએચઈ સંશોધન કાર્ય માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનોના રૂટ અસ્થાયી રૂપે બદલવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

1) ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 26 જૂનથી 11 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે.

2) ટ્રેન સંખ્યા 15636 ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 29 જૂનથી 7 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.

3) ટ્રેન સંખ્યા 15667 ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 જૂનથી 12 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે.

4) ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 01 જુલાઈથી 9 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરી શરૂ કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application