જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ એસ.આર.સ્કુલ, નંદ વિદ્યા નિકેતન અને ગ્રીન કોમ્યુનીટી દ્વારા જામનગર સીટી મેઈન બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વોર્ડ નં.૪ માં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ લાલપુર હાઈવે અને કાલાવડ હાઈવે માર્ગોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
***
કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ
જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ "સ્વચ્છ દિવાળી શુભ દિવાળી" અને "મેઈડન સિગ્નેચર" કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાયરા એનર્જી, એસડીજી ટ્રસ્ટ ઇન્ડિયા અને ફિડબેક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થકી "સ્વચ્છ હાલાર પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છ દિવાળી સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંં નાગરિકોએ સ્વચ્છતા જાળવવાના શુભ સંકલ્પ સાથે સહી ઝુંબેશમાંં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત, રેગ પીકર્સ/સફાઈ કામદારો માટે સ્વચ્છ ભારત અભિયાન અન્વયે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૧ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ ફ્લાય ઓવર્સ, બસ સ્ટેન્ડસ, રેલવે સ્ટેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
***
જામ્યુકો દ્વારા રેલવે સ્ટેશનની સાફ-સફાઈ કરવામાં આવી
સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૧ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ ફ્લાય ઓવર્સ, બસ સ્ટેન્ડસ, રેલવે સ્ટેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech