જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફલશ્રુતિ

  • October 28, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 16 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો


મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અન્વયે, ગત તા.27 ઓકટોબરના રોજ જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.


કાર્યક્રમમાં, જામનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએથી અધિકારીગણ અને અરજદારો વિડીયો કોન્ફરન્સના માધ્યમ વડે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં, માર્ગ અને મકાન વિભાગ, ગૌચરની જમીનના પ્રશ્નો, બિનખેતીના પ્રશ્નો તેમજ રોજકામના પ્રશ્નો વિષે અરજદારો સાથે કલેકટરશ્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ આગામી મહિના સુધીમાં તેમના પ્રશ્નોનો નિકાલ કરવાનું આશ્વાશન આપ્યું હતું. કાર્યક્રમમાં 20 જેટલા પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો, જેમાંથી 16 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો, અને 1 પ્રશ્નનો નકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. 


સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જામનગર (શહેર) પ્રાંત અધિકારીશ્રી પરમાર, ડી.આર.ડી.એ. નિયામકશ્રી ચૌધરી, જામનગર શહેર મામલતદારશ્રી વિરલ માકડીયા, જામનગર ગ્રામ્ય મામલતદારશ્રી તન્વી ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગ, એસ.ટી. વિભાગ, જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીગણ, તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application