પોરબંદરમાં ઘણા સમયથી બંધ અનેક સ્ટ્રીટલાઇટો બંધ હતી જેનું સમારકામ કરવાની ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆત બાદ અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ થતા તેના સમારકામ થયા છે. પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઇ મશએ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એવી માંગ કરી હતી કે પોરબંદર શહેરમાં સલાટવાડા બસસ્ટેન્ડથી ભાવસિંહજી હોસ્પિટલવાળો રોડ, મીરાપાન આસપાસ પાટાદાદાના મંદિર પાસે, કબ્રસ્તાન પાસે જગુભાઇ ભજીયાવાળાની લાઇન, વાઘેશ્ર્વરી મંદિરની ગલીમાં ૧૫ થી ૨૦ તથા રાઠોડ ફળિયામાં ૭ લાઇટો બંધ હાલતમાં હોવાથી વહેલી તકે મરામત કરી આપવા દિલીપભાઇ મશએ માંગ કરી હતી અને તે અનુસંધાને સ્ટ્રીટલાઇટો ચાલુ થઇ છે તે ઉપરાંત વાઘેશ્ર્વરી પ્લોટમાં આવેલ પોર્ટ કોલોની ગેટ પાસે વીજલાઇનને નડતરપ ડાળીઓ જે એલ.ટી. લાઇનના કેબલ ઉપરથી કાપવામાં આવેલ છે. જેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMતિરુપતિ લાડુમાં 'અમૂલ' ઘીના ઉપયોગની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી, 7 લોકો સામે FIR
September 21, 2024 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech