બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ

  • April 25, 2025 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બાંદીપોરાના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર અલ્તાફ માર્યો ગયો હોવાની માહિતી મળી રહી છે. આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી.

સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે. આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે, જ્યારે બે સૈનિકો પણ ઘાયલ થયા છે. હાલમાં, વિસ્તારમાં આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે.બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો. આ પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાના સમાચાર છે. જ્યારે બે સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application