BREAKING NEWS

રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી આર.એમ.વારોતરીયાના ધર્મપત્ની હેમીબેનનું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું

  • July 08, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી આર.એમ.વારોતરીયાના ધર્મપત્ની હેમીબેન રાજશીભાઈ વારોતરીયાનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં જ કાનૂની ક્ષેત્ર, સામાજિક વર્તુળો અને સગા-સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વ. હેમીબેન તેમના પરોપકારી અને શાંત સ્વભાવના કારણે પરિવાર અને સ્નેહીજનોમાં ખૂબ જ આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમના નિધનની જાણ થતાં જ અનેક અગ્રણીઓએ વારોતરીયા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


સદગત હેમીબેનની સ્મશાનયાત્રા આજે સવારે ૧૦:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન ‘પાર્થસારથી’, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, શેરી નંબર-૫, રાજકોટ ખાતેથી નીકળી હતી. આ અંતિમયાત્રામાં રાજકોટ લોયર્સ એસોસિએશનના હોદ્દેદારો, સિનિયર અને જુનિયર વકીલો, ન્યાયિક ક્ષેત્રના મહાનુભાવો તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અશ્રુભીની આંખે નીકળેલી આ સ્મશાનયાત્રા મોટા મવા સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિ-વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને હાજર સૌ કોઈએ સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


સ્વ. હેમીબેન વારોતરીયા રાજકોટના જાણીતા એડવોકેટ દિનેશભાઈ વારોતરીયા, શિલ્પાબેન અને પ્રતિક્ષાબેનના માતુશ્રી હતા. માતાની છત્રછાયા ગુમાવતાં વારોતરીયા પરિવાર પર મોટો વજ્રઘાત થયો છે. 


સદગતનું બેસણું આવતીકાલે તારીખ નવ જુલાઈ અને ગુરૂવારના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી ૬:૦૦ વાગ્યા દરમિયાન પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application