Aajkaalteam
ઉનાળાની ઋતુ દરમિયાન મહત્તમ તાપમાન હોવાથી હીટ વેવની સંભાવના રહે છે. આથી, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હીટ વેવથી રક્ષણ મેળવવા માટે આવશ્યક સૂચનો જાહેર કરાયા છે. જેનેઅનુસરવાથી હીટ વેવથી બચી શકાશે.
લોકોએ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ
સ્થાનિક હવામાનના સમાચાર જાણવા માટે રેડીઓ સંભાળવો, ટી.વી. જોવું અને સમાચારપત્રો વાંચવા અથવા હવામાન અંગે માહિતી આપતી મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવી જોઈએ. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. વાઈ, હૃદય, કિડની, લીવરના રોગ ધરાવતા વ્યક્તિ, કે જે પ્રવાહી પ્રતિબંધિત આહાર લેતા હોય, તેઓએ તબીબનો સંપર્ક કરી પ્રવાહી આહારનું સેવન વધારવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ વધારવા ORS (ઓરલ રીહાયડ્રેશન સોલ્યુશન), ઘરગથ્થુ પીણાં જેવા કે લસ્સી, ઓસામણ, લીંબુ પાણી, છાશ, નાળીયેરનું પાણી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. વજનમાં હળવા, આછા રંગના, ખૂલતાં, કોટનના કપડાં પહેરવા જોઈએ. તડકામાં બહાર જતી વખતે કાપડ, ટોપી અથવા છત્રીથી માથું ઢાંકવું, આંખોના રક્ષણ માટે સનગ્લાસ તથા ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક સારવાર અંગે જાણકારી રાખવી જરૂરી છે. વડીલો, બાળકો, બીમાર, મેદસ્વી લોકોને હીટ વેવનો ખતરો વધુ હોવાથી તેઓની ખાસ કાળજી રાખવી જોઈએ.
કર્મચારીઓ અને કામદારો માટે જરૂરી સૂચનો
કામના સ્થળે પીવાનું ઠંડુ પાણી પૂરું પાડવું જોઈએ. આરામ કરવાની જગ્યાએ સ્વચ્છ પાણી, છાશ, આઈસ પેક સાથે ફર્સ્ટ એઇડ કીટ્સ અને O.R.S. પૂરા પાડવા જોઈએ. મજુરોએ સીધા સૂર્યપ્રકાશમાં આવવાથી સાવધાની રાખવી. તડકાનાં સમયને બદલે દિવસના ઠંડા સમયમાં કામગીરી ગોઠવવી જોઈએ. ખાસ કરીને બહાર કામ કરવા જતા લોકો માટે આરામ કરવાના સમયની મર્યાદા વધારવી જોઈએ. વધુ પ્રમાણમાં ગરમ હોય તેવા વિસ્તારમાં ઓછા કલાક માટે તથા હળવું કામ આપવું જોઈએ. સગર્ભા મહિલાઓ અને સારવાર ચાલતી હોય તેવા મજૂરોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મજુરોને હીટ વેવની ચેતવણી આપતી નોટીસ આપવી જોઈએ.
અન્ય સાવચેતીઓ
શક્ય તેટલું વધુ ઘરની અંદર રહેવું હિતાવહ છે. પરંપરાગત ઉપાયો જેમ કે ડુંગળીનું સલાડ તેમજ મીઠું અને જીરું સાથે કાચી કેરીનું સેવન કરવું, જે હીટ સ્ટ્રોક અટકાવી શકે છે. પંખા, ભીના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરવું જોઈએ. ઘરે અથવા ઓફિસ આવતા વિક્રેતાઓ અને ડિલિવરી મેનને પાણી આપવું જોઈએ. જાહેર પરિવહન અને કાર-પૂલિંગનો ઉપયોગ ગરમી અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરશે. સૂકા પાંદડા, ખેતીના અવશેષો અને કચરાને બાળવા જોઈએ નહીં. જળાશયોનું સંરક્ષણ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો, સ્વચ્છ ઇંધણ અને વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. જો ચક્કર આવે અથવા બીમારી જેવું લાગે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અથવા તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. ઓછા ખર્ચે ઠંડક માટે સૌર પ્રતિબિંબીત સફેદ રંગ, કૂલ રૂફ ટેકનોલોજી, એર-લાઇટ અને ક્રોસ વેન્ટિલેશન અને થર્મોકૂલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવો જોઈએ. છત પર વનસ્પતિ ઉગાડવી જોઈએ. હિટ વેવથી બચવા કામચલાઉ વિન્ડો રિફ્લેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. ઘરને ઠંડું રાખવા ઘેરા રંગના પડદા, ટીન્ટેડ ગ્લાસ/શટર અથવા સનશેડ વાપરવા જોઈએ અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. નીચેના માળ પર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. લીલી છત, લીલી દીવાલો અને ઇન્ડોર છોડ કુદરતી રીતે ઠંડક આપીને ગરમી અને એર કન્ડીશનીંગની જરૂરિયાતો ઘટાડે છે. ACનું તાપમાન ૨૪ ડિગ્રી કે તેથી વધુ રાખવું જોઈએ.
નવું ઘર બનાવતી વખતે જરૂરી સૂચનો
નિયમિત દિવાલોને બદલે કેવિટી વોલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. દિવાલોને જાડી બનાવવી, જે તેઓ આંતરિક વાતાવરણને ઠંડુ રાખે છે. જાળીવાળી દીવાલો અને લુવર્ડ ઓપનિંગ્સ બનાવો. જે ગરમીને રોકીને મહત્તમ હવા-ઉજાસ આપે છે. દિવાલોને કોટ કરવા માટે ચૂનો અથવા માટી જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો કાચનો ઉપયોગ ટાળવો જોઈએ. બાંધકામ પહેલાં બિલ્ડિંગ ટેક્નોલોજી નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
સનસ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર
ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ અથવા અસરગ્રસ્તના માથા પર પાણી રેડવું જોઈએ. વ્યક્તિને O.R.S. પીવા અથવા લીંબુ સરબત અથવા કોઈ પણ પ્રકારનું ઠંડુ પીણું આપવું જોઈએ, જે શરીરને રીહાઇડ્રેટ કરવા માટે ઉપયોગી છે. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવી જોઈએ. જો શરીરનું તાપમાન સતત ઊંચું હોય, માથાનો દુ:ખાવો થતો હોય, ઉનાળામાં ચક્કર, નબળાઇ, ઉબકા અથવા ચિત્તભ્રમ થાય તો એમ્બ્યુલન્સને કૉલ કરવો જોઈએ. તડકામાં બહાર જવાનું ટાળવૂ જોઈએ. ખાસ કરીને બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યાની વચ્ચે બહાર ન નીકળવું જોઈએ. ખુલ્લા પગે બહાર ન જાવું જોઈએ. પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળવું જોઈએ. હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. ઉચ્ચ પ્રોટીન, ખારી, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળવો જોઈએ. વાસી ખોરાક ન ખવો જોઈએ. પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા ન છોડવા જોઈએ. બિનજરૂરી ગરમી પેદા કરતા કમ્પ્યુટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
કૃષિ માટે જરૂરી સૂચનો
ઊભા પાકને વારંવાર પિયત આપવું જોઈએ. નિર્ણાયક વૃદ્ધિના તબક્કામાં સિંચાઈ વધારવી જોઈએ. પાકના અવશેષો, સ્ટ્રો, પોલિથીન સાથે લીલા ઘાસ અથવા માટીનું મલ્ચિંગ હાથ ધરવું જોઈએ. જમીનને ભેજવાળી રાખવી જરૂરી છે. માત્ર સાંજે અથવા વહેલી સવારે પિયત આપવી જોઈએ. છંટકાવ સિંચાઈનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારો વિસ્તાર હીટ વેવનો શિકાર હોય તો આશ્રયસ્થાનોમાં વિરામ કરવાનું અપનાવવું જોઈએ.
પશુપાલન માટે કેટલાક સૂચનો
પ્રાણીઓને છાંયડામાં રાખવા જોઈએ અને તેમને પીવા માટે પુષ્કળ સ્વચ્છ અને ઠંડુ પાણી આપવું જોઈએ. સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યાની વચ્ચે પ્રાણીઓ પાસેથી કામ લેવું ન જોઈએ. શેડની છતને ઢાંકી દેવી જોઈએ અથવા છાણ-કાદવથી પ્લાસ્ટર કરવું જોઈએ. શેડમાં પંખા, વોટર સ્પ્રે અને ફોગર્સનો ઉપયોગ કરવો જોઈએ. અતિ ગરમી દરમિયાન, પાણીનો છંટકાવ કરવો જોઈએ અને ઢોરને ઠંડક માટે જળાશયમાં લઈ જવા જોઈએ. પ્રાણીઓને લીલું ઘાસ, પ્રોટીન-ચરબીયુક્ત આહાર આપવો જરૂરી છે અને ઠંડા કલાકો દરમિયાન ચરાવવા લઈ જવા જોઈએ. મરઘાંઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા અને ખવડાવવાનું ટાળવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech