ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુન:સ્થાપિત: આજથી ડાયવર્ટ કરેલા રુટ પર દોડશે

  • December 14, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ આજ સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રુટ પર દોડશે.
ટ્રેન નં. ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ૧૭.૧૨.૨૦૨૩, ૨૪.૧૨.૨૦૨૩, ૩૧.૧૨.૨૦૨૩, ૦૭.૦૧.૨૦૨૪ અને ૧૪.૦૧.૨૦૨૪ ના રોજ અને ટ્રેન નં. ૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ૧૪.૧૨.૨૦૨૩, ૨૧.૧૨.૨૦૨૩, ૨૮.૧૨.૨૦૨૩, ૦૪.૦૧.૨૦૨૪ અને ૧૧.૦૧.૨૦૨૪ ના રોજ રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન નો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરુ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application