પંચકોશી-એ તથા સી-ટીમ અને સાયબર પોલીસ દ્વારા લોકોને માહિતી આપી : અવેરનેશ અંગે નાટક પ્રસ્તુત કર્યુ
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા દ્વારા હાલમાં ચાલી રહેલ નવરાત્રી તહેવાર અનુસંધાને ગરબી પર જઇ સે નો ટુ ડ્રગ તથા સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવા સુચના કરેલ હોય.
જે અન્વયે નવરાત્રી તહેવાર ચાલી રહેલ હોય તા. 8ના રોજ રાત્રીના પંચકોશી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીજડીયા બાયપાસ સમરસ હોસ્ટેલની સામે આવેલ ગ્રીન વીલા પાર્ટી પ્લોટમાં ચાલી રહેલ કુમ કુમ નવરાત્રી મહોત્સવ-2024 તથા ખીજડીયા બાયપાસ જય માતાજી હોટલની સામે આવેલ રોયલ રિસોર્ટ પાર્ટી પ્લોટ અને રાધે ક્રિષ્ણ રાસોત્સવ ખાતે ચાલી રહેલ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાથી ગરબા રમવા માટે મોટી જનમેદની આવેલ હોય તેઓની સાથે વાતચીત કરી સે નો ટુ ડ્રગ તથા સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવા માટે તેઓની વચ્ચે જઇને નો ડ્રગ્સ કાર્યક્રમ અન્વયે પેમ્પલેટ તથા બેનર સાથે ખેલૈયાઓની સાથે ગરબા રમી લોકોને ડ્રગ્સ બાબતે જાગૃત કરી તેમજ આ નવરાત્રી મહોત્સવમાં આવેલ લોકોને સે નો ડ્રગ્સ બાબતે સંકલ્પ લેવડાવી તેમજ તેઓને પોતાના સ્નેહીજનો પણ આ ડ્રગ્સ બાબતે અવગત કરવા અને ક્રાઇમને લગત થતા ફ્રોડ છેતરપીંડીથી બચી શકાય.
જે બાબતે લોકોને જાણકારી આપવા માટે સમજ કરવામાં આવેલ તથા સાયબર ક્રાઇમને લગત થતા ફ્રોડ છેતડી બાબતે લોકોને જાગૃત કરવા નાનાકડી સ્ક્રીપ્ટ સાયબર અવેરનેશ અંતર્ગત નાટક પ્રસ્તુત કરી કઇ રીતે સાયબર ક્રાઇમ ફ્રોડ/છેતરપીંડીથી બચી શકાય એ માટે નવતર જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીવાયએસપી નયના ગોરડીયા, પંચ-એના પીઆઇ એમ.એન. શેખ, પીએસઆઇ ગોહીલ, પીએસઆઇ પરમાર, સ્ટાફ અને સી-ટીમ જોડાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોહનનગર આવાસમાં દારૂના જથ્થા સાથે બે પકડાયા
May 22, 2025 12:38 PMજામનગરના માજી રાજવી જામસાહેબના વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન
May 22, 2025 12:22 PMજામનગરના સ્વામી પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજ થી ૪૦ દિવસીય ચાલીસા મહોત્સવ નો પ્રારંભ
May 22, 2025 12:16 PMજન્મદિન નિમિતે રકતદાન કરતા પૂર્વ મંત્રી હકુભા જાડેજા
May 22, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech