જામનગરના સાધના કોલોની માર્ગે રેકડી કેબીનો હટાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મોટાપાયે ડીમોલેશન

  • May 31, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે ખડકાયેલી ૧૪ રેકડી- કેબીનો કબજે લેવાઇ: જાહેર માર્ગ પાસે કેનાલ પર બનાવેલા છ ઝુપડાઓ ખસેડી લેવાયા

જામનગર ના સાધના કોલોની રોડ પર રેંકડી કેબીનો તેમજ ઝુંપડા વગેરે  ખડકાઈ ગયા છે, જેમાં કેટલાક ધંધાર્થીઓ દ્વારા કેનાલ પર દબાણ કરી ને ઝૂંપડાઓ બનાવી લેવાયા છે, જયારે ખાણી પીણીની અનેક રેકડી- કેબીનો ખડકી દેવામાં આવી છે.
 જે ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા એ મેગા ડિમોલેસન હાથ ધર્યું હતું.
 સાધના કોલોનીથી લાલપુર બાયપાસ સુધીના માર્ગે ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી નોનવેજ સહિત ૧૪ રેંકડી-કેબીનો મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત તરબૂચ અથવા અન્ય ખાણીપીણીની ચીજ વસ્તુઓ ગણપતિની મૂર્તિ સહિતના કેટલાક વિક્રેતાઓ કે જેઓએ રોડની બંને તરફ ઝૂંપડા બાંધીને કાયમી ધંધો શરૂ કરી દીધા છે, આવા ૬ ઝૂંપડાઓને દૂર કરી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય કેટલાક રેકડી કેબીન ધારકોને તાત્કાલિક અસરથી જાહેર માર્ગ ના દબાણો દૂર કરવા માટેની સૂચના આપી દેવાઇ હતી.
 લાલપુર રોડ પર ૨૦ થી વધુ કેરી- તરબૂચ ના વિક્રેતાઓએ મંડપ સામિયાણા ઊભા કરીને ગેરકાયદે દબાણ કર્યું હોવાથી આવા ધંધાર્થીઓને સાંજ સુધીમાં જગ્યા ખુલી કરી આપવા માટેની સૂચના અપાઇ છે. એસ્ટેટ શાખાની આ કામગીરીને લઈને સ્થાનિક ધંધાર્થીઓમાં ભારે દોડધામ થઈ હતી. મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓએ આ રસ્તો ચોખ્ખો કરાવીને દબાણો હટાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application