રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની તા.૨૨–૧–૨૦૨૪ના રોજ પુન:પ્રાણ પ્રતિા મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ– ચિત્રનગરીના સહયોગથી ચિત્રનગરીના કલાકારો દ્રારા શ્રીરામના મંદિર સહિત રામાયણના પાત્રો તથા પ્રસંગોના ચિત્રો કે.કે.વી.ચોક ઓવરબ્રિજના પિલર પર બનાવાશે.
તા.૨૨–૧–૨૦૨૪ની આખું ભારત દેશ રાહ જોઈ રહ્યું છે. આશરે ૫૫૦ વર્ષ પછી આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિા થવા જઈ રહ્યું છે ત્યારે તા.૨૧–૧–૨૦૨૪ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ– ચિત્રનગરીના સહયોગથી આ દિવસે સમગ્ર ભારતની સાથે રાજકોટ પણ સહભાગી થવા જઈ રહ્યું છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી.ચોક ઓવરબ્રિજના પિલર પર ચિત્રનગરીના કલાકારો દ્રારા ભગવાન શ્રી રામના મંદિર, રામાયણના પાત્રો તથા પ્રસંગોને આવરી લેતા ચિત્રો સવારે ૯ કલાકથી સાંજે ૬ કલાક સુધી બનાવવામાં આવશે. આ પ્રોજેકટમાં કલાકારો ભગવા કપડાં પહેરી, ગળામાં જય શ્રી રામ લખેલી ખેસ તથા કપાળમાં તિલક કરી ચિત્રો બનાવશે તેમજ પૂજા હોબી સેન્ટરના ભૂલકાઓ દ્રારા સાંજે ૫ કલાકથી ૭ કલાક દરમ્યાન રામલલ્લાના પાત્રોના પહેરવેશ પહેરીને આખું વાતાવરણ ભકિતમય બનાવાશે. આ ઉપરાંત સાંજે ૭ કલાકે કલાકારોએ બનાવેલ ચિત્રો પાસે દિવડા મુકવામાં આવશે. આ પ્રોજેકટ સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર ભારત આ દિવસે ઉજવણી કરી રહ્યું હશે ત્યારે રાજકોટવાસીઓને પણ કે.કે.વી. ચોક ઓવરબ્રિજ ખાતે ચિત્રનગરી દ્રારા તૈયાર કરવામાં આવનાર શ્રી રામ ભગવાનના ચિત્રો નિહાળવા ઉમટી પડવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech