કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ (નિવૃત્ત)ને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વર્તમાન સીડીએસ, જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 30 મે, 2026ના રોજ સમાપ્ત થાય છે. પદ સંભાળ્યા પછી, લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણિ લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ)ના સચિવ તરીકે પણ સેવા આપશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મેના રોજ પદ સંભાળશે. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2028 સુધી રહેશે. પરિણામે, મે મહિનાના અંત સુધીમાં ભારતીય સંરક્ષણ પ્રણાલીમાં બે મોટા ફેરફારો જોવા મળશે.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિની એક વિશિષ્ટ લશ્કરી કારકિર્દી છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (એનએસસીએસ)માં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપે છે. આ પહેલા, તેમણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને સેન્ટ્રલ કમાન્ડના જીઓસી-ઇન-સી જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. થિયેટર કમાન્ડની પ્રક્રિયાને આગળ વધારવા અને સશસ્ત્ર દળોના એકીકરણમાં તેમની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ નેશનલ ડિફેન્સ એકેડેમી, જોઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ (યુકે) અને નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે કિંગ્સ કોલેજ લંડનમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. ડિસેમ્બર 1985માં, લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ ગઢવાલ રાઈફલ્સમાં કમિશન્ડ થયા હતા.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણ્યમની લાંબી સૈન્ય કારકિર્દી છે. રાજા સુબ્રમણિમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ભારતમાં થિયેટર કમાન્ડ મોડેલ લાગુ કરવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સેના છેલ્લા કેટલાક સમયથી આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે નવા સીડીએસ તરીકે, રાજા સુબ્રમણિ આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે. સંરક્ષણ મંત્રાલયે પહેલાથી જ વિવિધ સ્તરે તૈયારીઓ કરી લીધી છે, અને આગામી મહિનાઓમાં આ સંબંધિત મોટા નિર્ણયો લેવાની અપેક્ષા છે.