સોમનાથ મહાદેવના રક્ષાબંધને લાખો ભકતોએ ભકિતભાવથી દર્શન કર્યા

  • August 20, 2024 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લ ાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટા હતા. સોમનાથ ટ્રસ્ટની સુચા દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રા થાય તેની ખાતરી કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેકિટ્રક કાર્ટ અને વ્હીલચેર, લિટનો દિવ્યાંગને સુવિધાઓનો લાભ મળ્યો હતો.
સવારે ટ્રસ્ટના માન.ટ્રસ્ટી પી.કે.લહેરી દ્રારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારભં કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભકતો જોડાયા હતા.
પૂર્ણિમા અને રક્ષાબંધનનો પર્વ હોય તેમજ શ્રાવણનો ત્રીજો સોમવાર હોય સોમનાથ મંદિરમાં ભકતો દ્રારા પૂજાઓ નોંધાવવામાં આવી હતી. જેમાં સોમનાથ મહાદેવની ૬૩ સોમેશ્વર મહાપૂજા, ૨૭ ધ્વજા પૂજા, ૯૩૨ દ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા, સહિતની પૂજા ભાવિકો દ્રારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
 સોમનાથ મંદિર બહાર ભકતો માટે ફરાળ અને ભંડારાની ઉત્તમ વ્યવસ્થા હોય તેમ જ સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પણ અતિરિકત વ્યવસ્થાઓ કરાઈ હોય હજારોની સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ. યાત્રીઓની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપીને ટ્રસ્ટ દ્રારા કરાયેલ વ્યવસ્થાઓ થકી સાંજના સાત વાગ્યા સુધીમાં ૪૫,૦૦૦ થી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના સુચા દર્શન કર્યા હતા. અને રાત્રીના દશં સુધી મા ૭૫ હજાર ની આજુબાજુ લોકો એ દર્શન નો લાભ લીધેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application