રાજકોટ જિલ્લામાં ફરશે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ

  • April 24, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના એક શાબ્દીક ઉચ્ચારને લઈને ક્ષત્રિય સમાજમાં એક માસથી ચાલી રહેલા રોષ અને દેખાવોમાં આંદોલનના પાર્ટ–૨માં આજથી રાયભરમાં ૭ સ્થળેથી ધર્મરથ નીકળ્યા હતા. આજે રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિર ખાતેથી આ ધર્મરથ નીકળ્યો હતો જે રાજકોટ જિલ્લ ામાં વાંકાનેર, પડધરી, ટંકારાને રાજકોટ ગ્રામ્યના વિસ્તારો–ગામડાઓમાં રથ ફરશે અને ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાનની ચાલી રહેલી લડતનો સંદેશો આપશે.
આજે આ ધર્મરથને લીલીઝંડી આપવા માટે ગુજરાત રાય રાજપુત સંકલન સમિતિના ગાંધીનગર અમદાવાદ સ્થિત મુખ્ય હોદેદારો, કન્વીનર રમજુભા જાડેજા, ગોવુભા જાડેજા, પી.ટી.જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના આજે રાજકોટ આવ્યા હતા. આશાપુરા મંદિર ખાતેથી આ રથ સાથે બાઈક અને કાર રેલી રૂપે જોડાયા હતા. મંદિર ખાતે ક્ષત્રિય સમાજ અન્ય સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ રથને ચાંદલા કરી વિદાય અપાવી હતી. આ તકે બારોટ સમાજના પ્રમુખ સહિતના અન્ય સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા તેઓ ક્ષત્રિય સમાજની નારીઓની અસ્મિતાની લડાઈને સાથ–સહકાર ટેકો જાહેર કર્યેા હતો. કન્વીનર રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ લડાઈ કોઈ માગણીની નથી સ્વાભિમાનની છે. તા.૭ના મતદાન કરીને ભાજપ સરકારને લડાઈરૂપી જવાબ આપવાનો છે. તા.૭ પછી પણ આ લડાઈ ચાલુ રહેશે તેવા શબ્દ સાથે લાંબી લડાઈ હોવાના અેંધાણ આપ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application