રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટીંગનો ગત સવારે એજન્ડા પ્રસિદ્ધ થયા બાદ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ પ્રશ્નકાળમાં પ્રશ્નો ઇન્વર્ડ કરાવવા માટે પડાપડી કરી હતી. દરમિયાન ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લએ ગત મોડી સાંજે સૌથી છેલ્લે પોતાના પ્રશ્નો ઈનવર્ડ કરાવ્યા છે અને તેમાં પણ ફાયર એનઓસી અને ટેન્ડર પ્રક્રિયા સહિતના મામલે ફોટક સવાલો ઉઠાવતા જનરલ બોર્ડમાં ધબધબાટી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
રાજકોટ શહેરમાં ગત તા.૨૫ મે ને શનિવારના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બની હતી તેમાં ૨૭ જેટલા લોકોના મૃત્યુ થયા હતા જેને એક વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે આગામી તા.૨૦ મેના રોજ મળનારી રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ ફાયર એનઓસી મેળવવા માટેના નિયમોની સંપૂર્ણ માહિતી તેમજ ગત નાણાકીય વર્ષ દરમિયાન ફાયર એનઓસી માટે કુલ કેટલી અરજીઓ આવી હતી અને તેમાંથી કેટલી અરજીઓ મંજૂર કરાય છે, કેટલી નામંજૂર કરાય છે તેમજ કેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે તે સહિતના સવાલોના જવાબો માંગ્યા છે.
આ ઉપરાંત અન્ય પ્રશ્નમાં રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પ્રસિદ્ધ કરાયેલા વિવિધ ટેન્ડર અને રૂપિયા 20 લાખ કે તેથી વધુ રકમના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હોય તેવા દરેક ટેન્ડરની સંપૂર્ણ માહિતી માંગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech