કર્ણાટકના નવા મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બનશે. તેમનું નામ વિદાય લેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ બેઠક દરમિયાન જાહેરાત કરી. સિદ્ધારમૈયાએ લોકભવન જઈને રાજ્યપાલ કાર્યાલયમાં રાજીનામું આપ્યું હતું, કારણ કે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત હાલમાં બેંગલુરુમાં છે. તેઓ હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમના એક સંબંધી બીમાર છે, અને તેઓ તેમને મળવા ગયા છે.
સિદ્ધારમૈયાએ સવારે 10:30 વાગ્યે બ્રેકફાસ્ટ પર કેબિનેટ બેઠક બોલાવી હતી, જ્યાં તેઓએ રાજીનામાની વાત કરી હતી. તેમના રાજીનામાથી ડી.કે. શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો, જે પદ ઘણા સમયથી વિવાદિત હતું. કર્ણાટક કોંગ્રેસના કાર્યકર ઉમા શંકરે મીડિયાને જણાવ્યું હતું કે, ડીકે શિવકુમાર કાલે મુખ્યમંત્રી પદે શપથ લેશે, અને અમે તેની ઉજવણી ભવ્ય રીતે કરીશું.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર 2023માં રચાઈ હતી. સિદ્ધારમૈયાએ 23 મે ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ડી.કે.ને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે, અઢી વર્ષના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. આનો અર્થ એ થયો કે સિદ્ધારમૈયા પહેલા અઢી વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે અને બાકીના અઢી વર્ષ માટે ડીકે શિવકુમાર. સરકારના ત્રણ વર્ષ પછી પણ સત્તામાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું. આનાથી સિદ્ધારમૈયા અને ડીકે જૂથમાં ભાગલા પડ્યા હતા.
ડીકે જૂથના લોકો સતત માંગ કરી રહ્યા હતા કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. તાજેતરમાં જ દિલ્હીમાં આ અંગે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા હતા. જોકે, રાહુલ ગાંધીએ આ પહેલા તેમની સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કારણ વગર રાજીનામું આપવા માટે સંમત થયા ન હતા. બદલામાં તેમને સોદો ઓફર કરવામાં આવ્યો હતો.
આમાં રાજ્યસભા બેઠક અને તેમના પુત્રની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂકનો સમાવેશ થાય છે. આમાં રાજ્યસભા બેઠક અને તેમના પુત્રની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂકનો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે બિહાર મોડેલ જેવું છે. બિહારમાં, નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ છોડી દીધું અને બદલામાં, તેઓ રાજ્યસભામાં ચૂંટાયા અને તેમના પુત્રને મંત્રી પદ આપવામાં આવ્યું.