આજથી ત્રણ દિવસ વાતાવરણમાં રહેશે બદલાવ: તંત્ર બન્યું એલર્ટ: માચ્છીમારોને દરિયામાં ન જવા ચેતવણી
પશ્ર્ચિમ બંગાળમાં રેમન વાવાઝોડુ ત્રાટકયા બાદ તેની અસર થોડીઘણી ગુજરાતમાં જોવા મળી હતી, ગઇકાલે સાંજે જામનગરમાં પણ 80 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, હજુ પણ ત્રણ દિવસ સુધી વાતાવરણમાં બદલાવ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી હતી અને સાગરકાંઠે થોડાઘણા મોજા પણ ઉછળ્યા હતાં.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 36 ડીગ્રી, લઘુતમ તાપમાન 29.5 ડીગ્રી, હવામાં ભેજ 75 ટકા અને પવનની ગતિ 75 થી 80 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આગામી તા.29 મેથી 5 જુન સુધીમાં મીની વાવાઝોડુ ફુંકાશે, એટલું જ નહીં બપોરની જેમ રાત્રે પણ અસહ્ય ગરમી રહેશે, કેટલાક ગામોમાં તો તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે.
જામનગરનું તાપમાન 36 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, ગઇકાલે સાંજે ભારે પવન ફુંકાયો હતો અને મોડી રાત્રે પવનની ગતિ તેજ બની હતી, જાણે કે હાલારના દરિયાકાંઠે મીની વાવાઝોડુ હોય તેવો માહોલ સર્જાયો હતો. લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 42 થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામજ્ઞાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ડોકટરોના જણાવ્યા મુજબ જામનગરની ખાનગી અને જી.જી.હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને પેટના દુ:ખાવાના કેસો વધી રહ્યા છે, બંને જિલ્લાના પીએચસી-સીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે, હજુ ત્રણ દિવસ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જાય તેવી શકયતા છે ત્યારે રાજયના ડીઝાસ્ટાર મેનેજમેન્ટે સુચના આપીને હીટવેવથી લોકોને વધુ નુકશાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે, ડોકટરોના જણાવ્યા મુજબ એકાએક ચકકર આવે કે ઉલ્ટી થાય તો તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનાનો ડોકટરનો સંપર્ક કરવો, લીંબુ પાણી, ઓઆરએસ, નાળીયેર પાણી અને સાદુ પાણી સતત પીતા રહેવું જરી છે, શરીરમાંથી પાણી ઘટી જાય તો દર્દીની તબીયત વધુ લથડે એના માટે સાવચેતી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech