સિહોરમાં રસ્તા વચ્ચે અડીંગો જમાવતા ઢોરથી સતત અકસ્માતનો ભય

  • June 05, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે માઝા મુકી રહી છે. શહેરમા અડીંગો જમાવીને બેસેલા ઢોરોથી શહેરીજનો ત્રાહિમામ છે. રસ્તો રોકીને બેસેલા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને અકસ્માતો પણ વધી રહ્યા છે.
સિહોર શહેરમાં લગભગ દરેક રોડ રસ્તા મોટાભાગના બિસમાર હાલતમાં છે.જ્યાં થોડાઘણા રસ્તા યોગ્ય હાલતમાં છે તેના પર પણ ઢોર અડીંગો જમાવીને બેઠા છે.નપાનાં પદાધિકારીઓ માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં તેવી રીતે કામ કરી રહ્યા છે.
રખડતા ઢોરનો ત્રાસ એવો છે કે ભુતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કંઇક કેટલા નાગરિકોનાં હાડકા પણ ભાંગ્યા છે. ચોમાસું હવે વેંત છેટું છે ત્યારે રખડતા ઢોરની સમસ્યામાં વધારો થવાની આશંકા છે. અણઘડ વહીવટ માટે પંકાયેલી નપા હવે કેવી રીતે પ્રજાજનોની મુશ્કેલી દુર કરે છે તે આવનાર ચોમાસામાં ખબર પડશે. બાકી તો સિહોરવાસીઓ નપાએ સર્જીત સમસ્યાઓ સાથે જીવવા ટેવાઈ જવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application