પેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની છ સીટને મળી મંજૂરી

  • June 05, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની સરકારી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની છ સીટને  મંજૂરી મળતા ખુશીની લાગણી જોવા મળી  છે.
જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરમાં ત્રણ ડી.એન.બી. અને ૦૩ પોસ્ટ ડિપ્લોમાં ડી.એન.બી. કુલ ૦૬ સીટ પેથોલોજી વિભાગને મંજુરી મળી છે.  જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદર ખાતે જુન, જુલાઈ-૨૦૨૪માં પેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની સીટ ચાલુ કરવા માટે અરજી કરવામાં આવેલ હતી.જેમનું ૨૦૨૫માં નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન  દિલ્લી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું.



 જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરને પેથોલોજી વિભાગના ઇન્સ્પેકશન થયા બાદ  ત્રણ ડી.એન.બી. અને ૩ પોસ્ટ ડિપ્લોમાં ડી.એન.બી. કુલ ૦૬ સીટ પેથોલોજી વિભાગમાં પી.જી. સીટની મંજુરી મળી છે, જે ખુબ જ ગૌરવની વાત છે.        



મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમારે જણાવેલ કે હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે પેથોલોજી વિભાગના રીપોર્ટના મહત્વપૂર્ણ ભાગ હોય છે. પેથોલોજી વિભાગમાં ડી.એન.બી. પીજીની સીટોની મંજુરી મળતા હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારની ગુણવતામાં ખાસ્સો ફરક પડશે. નવી-નવી ટેસ્ટ ચાલુ થશે અને વિભિન્ન વિભાગના નિષ્ણાત ડોક્ટરોને સચોટ નિદાન કરવામાં મદદ‚પ રહેશે. 


ડી.એન.બી. પીજીના વિદ્યાર્થીઓ પોતાના અનુસ્નાતકના અભ્યાસ માટે વધુમાં વધુ કાર્યરત રહેશે. જી.એમ.ઈ.એ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરમાં દર્દીઓની સંખ્યા વધારે હોવાથી  લેબોરેટરીની સંખ્યા પણ વધારે હોય છે. જેના લાભ ડીએનબીના પીજી વિદ્યાર્થીઓને મળશે અને તેમનો અભ્યાસ ઉચ્ચ કોટીના રહેશે. ડી.એન.બી. પીજી વિધાર્થીઓ આવ્યા પછી હોસ્પિટલમાં નવી-નવી ટેસ્ટ ચાલુ થવાથી દર્દીઓની સારવારની ગુણવતામાં ઘણો સુધારો થશે, જેથી પોરબંદર અને આસપાસના જીલ્લાના દર્દીઓને ખાસ્સો લાભ મળશે તેમ ડો. સુશીલકુમાર દ્વારા જણાવાયુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application