૪૧ કેનેડિયન રાજદ્રારીઓની પ્રતિરક્ષા રદ કરવાનો ભારતનો નિર્ણય પછી કેનેડાએ પોતાના આ રાજદ્રારીઓને પરત બોલાવી લેવા પડા હતા. આ ઘટના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ભારતના આ નિર્ણયથી મુસાફરી અને વેપાર પર અસર પડશે. આ સાથે કેનેડામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિધાર્થીઓ માટે પણ મુશ્કેલી પડશે. કેનેડામાં ભારતીય મૂળના ૨૦ લાખ લોકો રહે છે. આ કેનેડાની કુલ વસ્તીના પાંચ ટકા છે. તે જ સમયે, વિદેશથી કેનેડા ભણવા આવતા વિધાર્થીઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે, જે લગભગ ૪૦ ટકા છે. ભારતે અગાઉ વિયેના
કન્વેન્શનના ઉલ્લંઘનના આરોપોને ફગાવી દીધા હતા.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએકહ્યું કે ૪૧ કેનેડિયન રાજદ્રારીઓની પ્રતિરક્ષા રદ કરવાનો ભારતનો નિર્ણય વિયેના સંમેલનનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે તમામ દેશોએ આનાથી ચિંતિત થવું જોઈએ. ટ્રુડોનું નિવેદન ભારતે આંતરરાષ્ટ્ર્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે રાજદ્રારીઓની સંખ્યામાં સમાનતા સુનિશ્ચિત કરવાના કેનેડાના પ્રયાસને નકારી કાઢાના કલાકો પછી આવ્યું છે.બ્રેમ્પટન, ઓન્ટારિયોમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ટ્રુડોએ કહ્યું કે ભારત સરકાર ભારત અને કેનેડામાં લાખો સામાન્ય લોકો માટે જીવનને 'અવિશ્વસનીય રીતે મુશ્કેલ' બનાવી રહી છે.ટ્રુડોએ દાવો કર્યેા કે ભારત દ્રારા લેવામાં આવેલી કાર્યવાહી આંતરરાષ્ટ્ર્રીય કાયદાની વિદ્ધ છે. તેમણે કહ્યું, 'ભારત સરકારે ભારતમાં ૪૦ કેનેડિયન રાજદ્રારીઓની રાજદ્રારી પ્રતિરક્ષા એકપક્ષીય રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.આ વિયેના કન્વેન્શન અને સરકારી કૂટનીતિનું ઉલ્લંઘન છે. તેઓ આંતરરાષ્ટ્ર્રીય કાયદા અને મુત્સદ્દીગીરીના ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવાનું પસદં કરી રહ્યા છે.
ભારતીય વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારતના આ નિર્ણયથી મુસાફરી અને વેપાર પર અસર પડશે. આ સાથે કેનેડામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિધાર્થીઓ માટે પણ મુશ્કેલી પડશે. કેનેડામાં ભારતીય મૂળના ૨૦ લાખ લોકો રહે છે. આ કેનેડાની કુલ વસ્તીના પાંચ ટકા છે. તે જ સમયે, વિદેશથી કેનેડા ભણવા આવતા વિધાર્થીઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે, જે લગભગ ૪૦ ટકા છે. ભારતે અગાઉ વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનના આરોપોને ફગાવી દીધા હતા.
વિશ્વના દેશોએ ચિંતા કરવી જોઈએ
કેનેડાના વડા પ્રધાને કહ્યું કે આ એવી બાબત છે જેના વિશે વિશ્વના તમામ દેશોએ ખૂબ જ ચિંતા કરવી જોઈએ. તે અમારા આક્ષેપોને નકારી કાઢે છે કે ભારત સરકાર આંતરરાષ્ટ્ર્રીય કાયદાના ગંભીર ઉલ્લંઘનમાં કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની કથિત હત્યામાં સામેલ હોઈ શકે છે. કેનેડાએ જાહેરાત કરી છે કે તે તેના ૪૧ રાજદ્રારીઓના પરત ફર્યા બાદ ચંદીગઢ, મુંબઈ અને બેંગલુ અને ભારતમાં તમામ કેનેડિયનો ખાતેના તેના વાણિય દૂતાવાસમાં તમામ વ્યકિતગત સેવાઓને 'થોભાવશે'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech