વાળ આપણી સુંદરતામાં વધારો કરે છે. તેથી ત્વચાની સાથે સાથે, વાળની યોગ્ય કાળજી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે રોજબરોજની ધમાલ અને ખાવાની ખોટી આદતોને કારણે વારંવાર વાળ ખરવા લાગે છે. ત્યારે આહારમાં થોડો ફેરફાર કરીને વાળને ખરતા બચાવી શકો છો. જાણો ખરતા વાળ અટકાવવા માટેના કેટલાક ખોરાક.
વાળ ખરવા એ એક સાર્વત્રિક સમસ્યા છે જેની સાથે મોટાભાગના લોકો સંઘર્ષ કરે છે. આનો સામનો કરવા માટે લગભગ દરેક વ્યક્તિ કેટલીક સામાન્ય ટિપ્સ જાણે છે, જેનાથી વાળ ખરવાને ઘટાડી શકાય છે જેમ કે તેલથી માલિશ કરવું, વાળ ધોવા, કન્ડિશનિંગ, હીટ ટ્રીટમેન્ટ અને સૂર્યપ્રકાશથી બચવું, નિયમિતપણે ટ્રીમિંગ કરવું, સ્ટ્રેસનું સંચાલન કરવું, હાઇડ્રેટેડ રહેવું.
તે જ સમયે કેટલાક ખોરાક પણ ઉપલબ્ધ છે જે વાળ ખરતા અટકાવામાં મદદ કરે છે. જાણો કયા ખોરાકનું સેવન કરવાથી વાળ ખરતા અટકશે-
ઇંડા
પ્રોટીનથી ભરપૂર ઇંડા વાળ માટે ફાયદાકારક છે. ઈંડામાં બાયોટિન જોવા મળે છે, જે વાળને મજબૂત બનાવે છે.
બદામ
વિટામિન E થી ભરપૂર નટ્સ સ્કેલ્પની ચામડીને પોષણ આપે છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા ઘટાડે છે.
પાલક
આયર્નથી ભરપૂર પાલક ખાવાથી વાળ ખરવાનું ઓછું થાય છે.
સૅલ્મોન
સૅલ્મોનમાં ઓમેગા થ્રી ભરપૂર માત્રામાં હોય છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળ ખરતા અટકાવે છે.
શક્કરીયા
તેમાં બીટા કેરોટીન જોવા મળે છે. જે વાળની ચમક વધારે છે અને તેમને ખરતા અટકાવે છે.
એવોકાડો
તેમાં જોવા મળતુ હેલ્ધી ફેટ વાળને હાઇડ્રેટેડ રાખે છે, જે શુષ્કતા દૂર કરે છે અને વાળ ખરતા ઘટાડે છે.
કોળાના બીજ
તેમાં ફાયટોસ્ટેરોલ જોવા મળે છે અને તે ઓમેગા થ્રી ફેટી એસિડથી પણ ભરપૂર છે. જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળ ખરતા ઘટાડે છે.
ગ્રીન ટી
તેમાં EGCG નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે. જે વાળના ફોલિકલનું રક્ષણ કરે છે અને વાળના કોષોને નષ્ટ થતા અટકાવે છે, જેનાથી વાળ ખરતા ઓછા થાય છે.
મેથીના દાણા
તેનાથી વાળની જાડાઈ વધે છે. જેનાથી વાળ ખરવાનું ઓછું થાય છે.
ફ્લેક્સ સીડ
તેમાં રહેલા ફેટી એસિડ વાળના ફોલિકલ્સને પોષણ આપે છે, જેનાથી વાળ મજબૂત થાય છે અને તેમાં ચમક આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech