આઈપીએલનો રોમાંચ પુરો થયો છે તે સાથે જ હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે આજથી વધુ એક શાનદાર ક્રિકેટનો આનંદ મળ્યો છે. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રો-ટી-20 લીગનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ક્રિકેટ રમી આ લીગનો પ્રારંભ કરાવ્યો છે. મેચ પૂરો થયા પછી બોલીવૂડની એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીસ શાનદાર પરફોર્મન્સ કરી ચાહકોના દિલ જીતશે.
આ લીગમાં સૌરાષ્ટ્રના ક્રિકેટ ચાહકો પાંચ ટીમો વચ્ચે થનારા 21 મેચનો આનંદ માણી શકશે.
આ ક્રિકેટ લીગમાં સ્થાનિક ક્રિકેટરો આ સૌથી ટુંકા ફોર્મેટમાં ભાગ લઈને ભવિષ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર જવાનો માર્ગ પણ નિશ્ચિત કરશે. સતત બીજી વખત થઈ રહેલા આ આયોજનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં શ્રેષ્ઠ ક્રિકેટ ટેલેન્ટના મનોરંજન અને ખેલકુદની ભાવનાનો અનેરો સંગમ જોવા મળશે.
આજે નિરંજન શાહ સ્ટેડિયમ પર આ સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગનું ઉદ્ઘાટન કેન્દ્રીય ખેલકુદ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે થયું છે. બપોરે 3-45 કલાકે શરૂ થયેલા આ શાનદાર સમારોહ અને ત્યાર બાદના પ્રથમ મેચ પછી બોલીવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ અને સલીમ-સુલેમાનના શાનદાર સંગીત સાથેના પફોર્મન્સ અને પ્રેક્ષકો આતશબાજીનો પણ આનંદ માણી શકશે.
મનોરંજન કાર્યક્રમ યોજાશે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જાણીતા ક્રિકેટરો અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે. આ તમામ મેચોનું દૂરદર્શન અને જીયો હોટસ્ટોર પણથી લાઈવ ટેલીકાસ્ટ થઈ રહ્યું છે.
IPL-રણજી ટ્રોફી, ડોમેસ્ટિક ક્રિકેટના ખેલાડી રમી રહ્યા છે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લાં ચાર વર્ષથી IPLની જેમ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (SPL)નું આયોજન કરવામાં આવે છે, જેને આ વખતે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે આ લીગનું સંપૂર્ણ મેનેજમેન્ટ આરિવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સોંપવામાં આવ્યું છે, જેમના દ્વારા ગત વર્ષ બેંગાલ પ્રો ટી-20 લીગ યોજવામાં આવી હતી. આજથી શરૂ થતી આ લીગમાં ભારતીય ટીમમાં રમતા તેમજ IPL અને રણજી ટ્રોફી ડોમેસ્ટિક ક્રિકેટમાં અલગ અલગ ટીમોના અનુભવી તેમજ ઊભરતા ખેલાડી તમામને યોગ્ય પ્લેટફોર્મ આપી સિલેક્શન કરવામાં આવ્યું છે.
જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન રમી રહ્યા છે
આ લીગમાં જાણીતા ખેલાડી જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અને હાર્વિક દેસાઈ જેવા ખેલાડીઓ પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.
દરેક ટીમ વચ્ચે 8-8 મેચ રમાશે
આ વખતે પાંચ ટીમ વચ્ચે જંગ જામશે, જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સનો સમાવેશ થાય છે. પાછલાં વર્ષોમાં રમાયેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં દરેક ટીમ વચ્ચે 4-4 મેચ રમાતી હતી, જેમાં બદલાવ કરી આ વખતે 8-8 મેચ રમાડવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ મેચ રમવાથી ખેલાડીઓ સારું પર્ફોર્મન્સ કરી શકે અને વધુ ને વધુ સૌરાષ્ટ્રના ખેલાડીઓ IPL તેમજ ઇન્ડિયા માટે સિલેક્સન પામી શકે.
સૌરાષ્ટ્રના ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા આયોજન
સૌરાષ્ટ્ર પ્રો ટી-20 ક્રિકેટ લીગનું આયોજન સૌરાષ્ટ્રના ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે જ કરવામાં આવી રહ્યું છે. લીગમાં અનુભવ મેળવી વધુમાં વધુ ક્રિકેટરો રાષ્ટ્રીય સ્તર પર રમે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ લીગમાં અગાઉ બે વખત જ્યારે આયોજન થયું ત્યારે એસોસિયેશનને આર્થિક નુકસાન થયું હતું, પરંતુ આ વખતે ફાયદો થશે. આ લીગનું સંપૂર્ણ મેનેજમેન્ટ આરિવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સોંપવામાં આવ્યું છે, જેના દ્વારા ગત વર્ષ બેંગાલ પ્રો ટી-20 લીગ યોજવામાં આવી હતી.
ડ્રાફ્ટ સિસ્ટમ, જે એ હરાજી નથી
સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ માટે ડ્રાફટ સિસ્ટમ રાખવામાં આવી હતી, જે હરાજી નથી, પરંતુ પસંદગી છે. ડ્રાફટ સિસ્ટમ મારફત પાંચ ટીમ દ્વારા 90 ખેલાડી, એટલે કે દરેક ટીમમાં 18 ક્રિકેટર સામેલ કરાયા છે. ડ્રાફટ સિસ્ટમમાં પાંચેય ટીમના કેપ્ટન સાથે કોચ, ફ્રેન્ચાઇઝી ટીમ ઓનર પણ ઉપસ્થિત હતા. 125 ક્રિકેટર, જેઓ ટીમ ઈન્ડિયા, રણજી, અંડર 23 રમ્યા હોય તેવા ક્રિકેટરોનો સમૂહ વિવિધ કેટેગરી, જેમ કે માર્કી, કેટેગરી એ, બી અને સીમાં સામેલ કરાયા હતા. એ પૈકી જયદેવ ઉનડકટ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ અને હાર્વિક દેસાઈ પાંચેય ટીમના માર્કી પ્લેયર એટલે કે કેપ્ટન છે. લીગ માટે પસંદગી પામેલ આ તમામ 90 ખેલાડીને તેમની કેટેગરી મુજબ રૂ.25 હજાર, રૂ.20 હજાર, રૂ.15 હજાર પ્રતિ મેચ ફીના રૂપે આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech